સંભલ માં એક સગીરાને દુષ્કર્મ બાદ જીવતી સળગાવવાનો મામલો શાંત પણ નથી થયો કે ઉન્નાવમાં ફરી એક વાર માનવતા શરમમાં મૂકાઈ છે
ઉન્નાવ : સંભલ માં એક સગીરાને દુષ્કર્મ બાદ જીવતી સળગાવવાનો મામલો શાંત પણ નથી થયો કે ઉન્નાવમાં ફરી એક વાર માનવતા શરમમાં મૂકાઈ છે. અહીં ગુરુવારે એક દુષ્કર્મ પીડિતાને જામીન પર છૂટીને આવેલા આરોપીઓએ પોતાના ત્રણ સભ્યોની સાથે મળી જીવતી સળગાવી દીધી. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે યુવતીને ગંભીર હાલતમાં જિલ્લા હૉસ્પિટલ ખસેડી, જ્યાં તેની હાલત ગંભીર જોતાં ડૉક્ટરોએ લખનઉના ટ્રોમા સેન્ટર રિફર કરી દીધી. મળતી માહિતી મુજબ, પીડિતા 80 ટકા સુધી દાઝી ગઈ છે.
થોડા
દિવસ પહેલા જ યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ મામલામાં બે આરોપીઓને
ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આજે યુવતી આ કેસની સુનાવણી માટે
રાયબરેલી કોર્ટ જઈ રહી હતી. સવાર ચાર વાગ્યાની આસપાસ ગામની બહાર ખેતરમાં બંને
આરોપી તથા તેના ત્રણ સાથીઓએ તેની ઉપર કૅરોસીન છાંટીને આગ લગાવી દીધી. તેની જાણ
થતાં જ ગામમાં હોબાળો થઈ ગયો. ઘટના વિશે જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને
પીડિતાને જિલ્લા હૉસ્પિટલ સારવાર માટે પહોંચાડી. જ્યાંથી લખનઉ ટ્રોમા સેન્ટર રિફર
કરવામાં આવી છે.