• Home
  • News
  • ઓમિક્રોન પર USના એક્સપર્ટે કહ્યું:બંને ડોઝ લગાવી ચૂકેલા લોકોને પણ ઇન્ફેક્શનનું જોખમ, 15 દેશ સુધી ફેલાયો વાઇરસ
post

જો તમે વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂક્યા છે તોપણ તમે વાઇરસથી સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-30 16:16:27

જો તમે વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂક્યા છે તોપણ તમે વાઇરસથી સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. USના ડો.શશાંક હેડાનું કહેવું છે કે ઓમિક્રોને એવા લોકોને પણ સંક્રમિત કર્યા છે, જેઓ વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂક્યા હતા. જોકે તેમની બોડીમાં કોરોના થયા પછી એન્ટિબોડી બની છે, એને આ વાઈરસ કેટલી અસર કરી રહ્યો છે એની માહિતી હાલ પ્રકાશમાં આવી નથી.

CovidRxExchangeના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર ડો. હેડા કોવિડ સાથે સંકળાયેલા પોલિસી મેકિંગમાં ઘણી સરકારોને સલાહ પણ આપે છે. એમાં ભારતની મહારાષ્ટ્ર સરકાર પણ સામેલ છે. તેમણે તમામ સવાલોના જવાબ આપ્યા. 


ઓમિક્રોન ખૂબ જ ખતરનાક હોવાનું કહેવાઈ રહ્યું છે, એની વાસ્તવિકતા શી છે?
આ ખતરનાક એટલા માટે છે, કારણ કે લગભગ 50 મ્યૂટેશન્સ છે. પહેલા આવેલા વેરિયન્ટ્સ, જેવા કે એપ્સિલોન, અલ્ફા, ગામા, ડેલ્ટામાં આટલા મ્યૂટેશન્સ મળ્યા નહોતો. આ પૈકીના કોઈમાં પણ આટલા ઝડપથી મ્યૂટેશન બની રહ્યા નહોતા.

સ્પાઈક પ્રોટીન(કોરોના વાઈરસની જે લાઈન બહારની તરફ નીકળે છે એ સ્પાઈક પ્રોટીન છે)માં જ 30 મ્યૂટેશન હોય છે અને હ્યુમન એસીઈ રિસેપ્ટમાં એનાં દસ મ્યૂટેશન હોય છે, જે ઈમ્યુનિટીને નબળી બનાવે છે. આ વાઈકસ ઝડપથી સંક્રમણ ફેલાવી શકે છે. એ ગંભીર બીમારી પણ સર્જી શકે છે.

શું વેક્સિન એની પર સફળ છે, જેમણે એક ડોઝ લીધો છે એ કેટલા સુરક્ષિત છે?
વેક્સિનના બંને ડોઝ લેનારને પણ આ વાઈરસ સંક્રમિત કરી ચૂક્યો છે. વેક્સિન એનાથી બચાવવામાં પણ કારગર છે. આ કારણે જેમણે એક ડોઝ લીધો છે તેમણે તાત્કાલિક બીજો ડોઝ લગાવવો જોઈએ, જેથી તે વધુ સરક્ષિત બની શકે.
ફાઈઝર, મોડર્ના, એસ્ટ્રાઝેનેકા તમામને સ્પાઈક પ્રોટીનની ટક્કર લેવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. ભારતની કોવેક્સિન પણ સારી છે, જોકે એવું નથી કે જેમણે વેક્સિન લીધી છે તેમને 100 ટકા સુરક્ષા મળી છે.

આ વેરિયન્ટ સૌથી વધુ ક્યાં એજ ગ્રુપના લોકોને ઈફેક્ટ કરી રહ્યો છે?
હજી સુધી આ અંગે કોઈ પણ ડેટા આવ્યો નથી, જોકે આ ખૂબ જ ઓછા સમયમાં 15 દેશમાં ફેલાઈ ચૂક્યો છે. આપણે વધુ ગભરાવાની જરૂર નથી. એવું પણ નથી કે તે જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે તે અસિમ્પ્ટોમેટિક અને વેક્સિન લગાવી ચૂકેલા દર્દીઓને પણ થાય છે. આ કારણે આપણે કોવિડ એપ્રોપિયેટ બિહેવિયરને ફોલો કરવું જોઈએ.

જે લોકો આલ્કોહોલ, સ્મોકિંગ કરે છે, શું આ વેરિયન્ટ તેમના માટે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે?
સ્મોકિંગ અને આલ્કોહોલનો કોઈ સીધો સંબંધ વાઈરસ ઈન્ફેક્શન સાથે નથી. સ્મોકિંગ કરવાથી ફેફસાંને નુકસાન પહોંચે છે, જેનાથી રિસ્ક ફેક્ટર વધે છે. એવામાં સ્મોકિંગથી બચવું જોઈએ.

શું આ વેરિયન્ટને ઋતુ સાથે કોઈ કનેક્શન છે, હાલ ઠંડી ચાલી રહી છે, એવામાં શું એ ઘાતક બની શકે છે?
ઓમિક્રોન ઉત્તર અને દક્ષિણ બંને ગોળાર્ધોમાં લગભગ એકસાથે મળ્યો છે. એવામાં ઋતુ સાથે એને કોઈ સંબંધ નથી. કોરોનાના પ્રથમ વેરિયન્ટ્સમાં પણ આપણે જોયું કે એને ઠંડી, ગરમી કે મોસમ સાથે સંબંધ નથી. ઋતુની જગ્યાએ નબળા લોકો, જેવા કે ઉંમરલાયક, જેમની ઈમ્યુન સિસ્ટમ નબળી છે, કેન્સર પેશન્ટ, ડાયાબિટીસ કે મોટાપાના શિકારના પેશન્ટ્સે વધુ અલર્ટ રહેવાની જરૂરિયાત છે.

આ વેરિયન્ટનાં લક્ષણો કેવાં છે, પહેલા જેવાં જ છે કે નવાં છે?
તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે એમાં થાક, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ગળામાં ખારાશ અને ખાંસી થાય છે. પ્રારંભિક નિરીક્ષણમાં એ જોવા મળ્યું છે કે એમાં સૂંધવાની ક્ષમતા ઓછી થતી નથી, જ્યારે પ્રથમ વેરિયન્ટમાં સૂંધવાની ક્ષમતા ઘટી જાય છે. એક નિરીક્ષણમાં એ પણ જોવા મળ્યું છે કે આ વેરિયન્ટથી સંક્રમિત થયા પછી સામાન્ય બીમારી જોવા મળે છે. જોકે આ પ્રકારનાં લક્ષણો હાલ ખૂબ જ ઓછા દર્દીઓમાં જોવા મળ્યા છે. કેટલા દર્દીઓમાં આ લક્ષણો જોવા મળ્યાં એનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી.

શું આ વેરિયન્ટથી ત્રીજી લહેર આવી શકે છે?
હાલ આ અંગે કંઈપણ કહેવું એ ખૂબ જ ઉતાવળ ગણાશે. હું તો એ વાત કહેવા માગું છું કે તમે ત્રીજી લહેર આવશે, એવું શા માટે વિચારી રહ્યા છો. તમે કોવિડ નોર્મ્સને ફોલો કરો, વેક્સિનના બંને ડોઝ લગાવો, સરકારો પોલીસ લેવલ પર કામ કરે, જેવા કે ટ્રાવેલ રિસ્ટ્રિક્શન, ક્વોરન્ટીન, ફ્રિક્વેન્ટ ટેસ્ટિંગ, ટ્રેસિંગ, જીનોમ એનાલિસિસ તો ત્રીજી લહેર આવશે નહિ, દરેકે માત્ર અલર્ટ થવાની જરૂરિયાત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post