નાયલોન કપડા નાખી સળગાવ્યાની શંકા
મગદલ્લામાં
ભાડે રહેતી થાઇલેન્ડની 27
વર્ષીય
મીમી ઉર્ફ વનિડા બુસોર્નની હત્યા મામલે ઉમરા પોલીસે ગુનો ઉકેલી નાખવાની નજીકમાં
છે. આ માટે પોલીસને હત્યાનો ગુનો ઉકેલવા માટે કેટલાક સચોટ પુરાવા હાથ લાગ્યા છે. આ
બાબતે પોલીસે સત્તાવાર સમર્થન આપ્યું ન હતું. પોલીસ અધિકારી એક-બે દિવસમાં પ્રેસ
કોન્ફરન્સ કરી માહિતી આપી શકે છે. વધુમાં મૃતક મીમી ઉર્ફ વનિડાની ચેઇન, મોબાઇલ અને રોકડ હાથ
લાગતા ટૂંક સમયમાં હત્યાનો ગુનો ઉકેલી નાખે તેવી શકયતા છે.
એડા
મીમી ઉર્ફે વનિડાના ઘરે શનિવારે રાત્રે આવી હતી. બન્ને સાથે બેસી દારૂ, હુક્કો ઉપરાંત ગાંજો
પીધો હોવાની વાત તપાસમાં બહાર આવી છે. જેમાં કોઈ ઝેરી પ્રવાહી ભેળવી હત્યા કરી હોઈ
શકે છે. મીમીને નાયલૉન કપડાઓ નાખી લાઇટરથી સળગાવી દીધી હોય એવી પણ પોલીસને શકયતા
લાગી રહી છે.
એડા
સામે અગાઉ જાપાન અને મલેશિયામાં હતી તે વખતે જાપાનમાં જુગારનો કેસ અને મલેશિયામાં
વિઝા પુરા થતા ગેરકાયદે વસવાટનો કેસ પોલીસમાં દાખલ થયો હોવાની વાત સ્પાના સંચાલકે
પોલીસને જાણવા મળી છે. ટૂંકમાં એસઆઇટી ગુનો ઉકેલી નાખે તેવી પૂરેપૂરી શકયતા લાગી
રહી છે. રૂપિયાની બાબતે હત્યા કરી હોય શકે તેવી સંભાવના પોલીસને લાગી રહી છે.
હાલમાં આ હત્યાના કેસમાં એસઆઇટી એડાની હવે કડક હાથે પૂછપરછ શરૂ કરી છે. જેમાં
ચોંકાવનારી વિગતો મળી છે.