સૂત્રોએ જણાવ્યું હતું કે વેદાન્તા અને ફોકસકોમના આ સંયુક્ત સાહસ માટે લગભગ ૧૦૦૦ એકર જમીન જોઇશે અને તેના માટે સસ્તી વીજળીની પણ જરૂરીયાત ઉભી થશે.
અમદાવાદ: દેશમાં કોલસો, ક્રુડ ઓઈલ, કોપર, ઝીંક, એલ્યુમીનીયમ જેવા ક્ષેત્રે સૌથી અગ્રણી જૂથ વેદાન્તાએ
તેના ૨૦ અબજ ડોલરના સેમીકન્ડકટર પ્લાન્ટ માટે ગુજરાત ઉપર પસંદગી કરી હોવાનું જાણવા
મળ્યું છે. આ અંગે સત્તાવાર જાહેરાત મંગળવારે કંપનીના ચેરમેન અનિલ અગ્રવાલ દ્વારા
કરવામાં આવે એવી શક્યતા છે. આ ૨૦ અબજ ડોલરના કુલ પ્રોજેક્ટમાં વેદાન્તા તરફથી લગભગ
૮.૪ અબજ ડોલરનું રોકાણ થશે અને બાકીના વિશ્વની અગ્રણી કંપની ફોકસકોમ દ્વારા
કરવામાં આવશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.
ભારત સરકારે આત્મનિર્ભરતા માટે
અને કોરોના કાળ પછી વિશ્વમાં વધી રહેલી સેમીકન્ડકટરની અછત સમયે ભારતમાં સ્થાનિક
ઉત્પાદન શરુ થાય તેના માટે પ્રયાસ હાથ ધર્યા છે. ભારતમાં સેમીકન્ડકટર અને તેની
વેફર માટે ૨૦૦૯થી પ્રયાસ ચાલી રહ્યા હતા. સરકારના અનેક પ્રયત્ન અને રોકાણ
પ્રોત્સાહન પછી પણ જોકે આ દિશામાં કોઈ સફળતા મળી નથી.
લંડન
સ્ટોક એક્સચેન્જ ઉપર પોતાની કંપનીના લીસ્ટીંગમાં સફળ રહેલા પ્રથમ ભારતીય અનિલ
અગ્રવાલ અને તાઈવાનની અગ્રણી સેમીકન્ડકટર કંપની ફોકસકોમના સંયુક્ત સાહસના સ્વુરૂપે
આ કંપની ગુજરાતમાં આ ઉત્પાદન હાથ ધરવામાં આવશે એવી શક્યતા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાના સહીતના રાજ્યો
સાથે વાટાઘાટ કર્યા પછી વેદાન્તાએ ગુજરાત ઉપર પસંદગી ઉતારી હોવાનું જાણવા મળ્યું
છે.
અહી
નોંધવું જોઈએ કે તા.૬ સપ્ટેમ્બરના રોજ વેદાન્તા જૂથના ચેરમેન અનિલ અગ્રવાલે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ સત્તાવાર કોઈ જાહેરાત થઇ ન
હતી પણ અનિલ અગ્રવાલે ટ્વીટ કરી એવું જણાવ્યું હતું કે વડાપ્રધાન સાથે મહત્વની
બેઠક પૂર્ણ થઇ છે અને ભારતમાં બીજી સીલીકોન વેલીનું સપનું પૂરું કરવાના દિવસો આવી
રહ્યા છે.
સૂત્રોએ
જણાવ્યું હતું કે વેદાન્તા અને ફોકસકોમના આ સંયુક્ત સાહસ માટે લગભગ ૧૦૦૦ એકર જમીન
જોઇશે અને તેના માટે સસ્તી વીજળીની પણ જરૂરીયાત ઉભી થશે. વેદાન્તા મોબાઈલ ફોન અને
અન્ય ચીજો માટે ડિસ્પ્લે માટેની સેમીકન્ડકટર ચીપ બનાવવાનું શરુ કરે એવી શક્યતા છે.
ભારતમાં અત્યારે વર્ષે ૧૫ અબજ ડોલરની સેમીકન્ડકટર જરૂરીયાત છે તે પાંચ વર્ષમાં વધી
૬૩ અબજ ડોલર થવાની શક્યતા છે.