ઉત્સાહનો પેચ કાપતી સરકાર સામે લોકો ઢીલ નહીં છોડવાના મૂડમાં
રાજ્ય સરકારના ગૃહ વિભાગે ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે
માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં મકાન-ફ્લેટ કે સોસાયટીના મેદાનમાં કે ધાબા પર
સ્થાનિક રહિશ સિવાયને કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવાની મનાઈ ફરમાવી છે.જ્યારે આ
નિયમના ભંગ બદલ જે તે સોસાયટીના પ્રમુખ કે અધિકૃત વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી
કરવામાં આવશે. સરકારના આ નિર્ણય સામે વડોદરાના નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સોસાયટીઓના પ્રમુખોનું કહેવું છે કે તેઓ ચોકીદાર નથી કે દરેક ઘરમાં કોના કાકા-મામા
આવ્યા તે જોવા જઈએ. માર્ગદર્શિકામાં આ ઉપરાંત પરિવારના નજીકના સભ્યો સાથે જ
ઉત્તરાયણ મનાવવાનું જણાવ્યું છે. શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ગુહ વિભાગની
ગાઇડલાઇન મુજબ કાર્યવાહી કરાશે.
પ્રજાને જ બધી ગાઇડલાઇન લાગુ પડે?
નેતાઓને
નહીંપ્રજાને જ ગાઈડ લાઈન લાગુ પડે છે. મારે પણ પરિવાર છે. હું ચોકીદાર થોડોછું કે
બધે નજર રાખું કે સોસાયટીમાં કોણ આવ્યું. - જીગ્નેશ પટેલ,પ્રમુખ,નિરાંત રેસિડન્સી,ગુરુકુલ સર્કલ
પોળમાં વિદેશથી આવતા લોકો નહીં આવે
અમદાવાદી
પોળમાં 500 લોકો
બહારથી ઉત્તરાયણ કરવા આવે છે. જેમાં ન્યુજર્સીના મેયર પણ સામેલ છે. આ વર્ષે બહારથી
કોઈ પોળમાં નહી આવે. - સચીન પટેલ,પ્રમુખ, અમદાવાદી પોળ
92 ફલેટ છે, બધે કયાં જોવા જવાનું
સ્કિમમાં
92 ફ્લેટ
છે. હું ઉત્તરાયણમાં કોઈના કાકા-મામા આવ્યાં તે તપાસ કરવા થોડો જઈ શકું છું. સરકાર
પણ તઘલખી નિર્ણયો લે છે. - અલ્કેશ પટેલ,પ્રમુખ,દેવમ એવન્યુ,વાઘોડિયા રીંગ રોડ
જાહેરનામા મુજબ પાલન કરાવાશે
ઉત્તરાયણમાં
મુખ્ય પતંગ બજાર સહિત અન્ય વિસ્તારોમાં રૂટીન બંદોબસ્ત ગોઠવાશે. શહેર પોલીસ
કમિશનરનું જે જાહેરનામું હશે તેનું પાલન કરાવાશે. - એસ.જી. પાટીલ, એસીપી
સપ્તાહ પહેલાં 60 ટકા પતંગોની ખરીદી થઈ
સામાન્ય
રીતે ઉત્તરાયણના અઠવાડિયા પૂર્વે માંડ 20-30 ટકા જેટલી પતંગોનું વેચાણ થતું હોય
છે, જ્યારે
ચાલુ વર્ષે ઉત્તરાયણના એક અઠવાડિયા પહેલેથી જ 60 ટકા સુધી ખરીદી થઈ ગઈ છે. ગેંડીગેટ
પતંગ બજાર એસોસિયેશનના પ્રમુખ ઈકબાલ સૈયદે જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે
ઉત્તરાયણના અઠવાડિયા પહેલાં જ 60 ટકા ઘરાકી ખૂલી છે.
ઈકબાલભાઈએ
વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ
વર્ષે 25 ટકા
માલ ઓછો બનાવાયો છે.