• Home
  • News
  • કમિશનના રિપોર્ટ પર મુસ્લિમ પક્ષને શું વાંધો છે ? જ્ઞાનવાપી કેસની સુનાવણી 26 મે સુધી ટળી
post

મુસ્લિમ પક્ષ વતી દલીલ કરવામાં આવી હતી કે, 1991ના પ્લેઝ ઓફ વર્શીપ એક્ટને કારણે હિંદુ પક્ષનો દાવો ફગાવી દેવો જોઈએ

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-24 17:36:18

નવી દિલ્હીઉત્તર પ્રદેશના પ્રખ્યાત જ્ઞાનવાપી કેસ પર વારાણસી જિલ્લા કોર્ટમાં સુનાવણી ફરી મોકૂફ રાખવામાં આવી છે. કોર્ટ હવે આ મામલે 26 મેના રોજ સુનાવણી કરશે. જિલ્લા ન્યાયાધીશની કોર્ટ સૌપ્રથમ આ કેસ સંબંધિત તમામ 4 અરજીઓમાંથી કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપીને સુનાવણી શરૂ કરવી તે અંગે નિર્ણય કરશે. 

જોકે આજે કોર્ટે કમિશનનો રિપોર્ટ આ પક્ષના તમામ સંબંધિત પક્ષકારોને આપ્યો છે અને કહ્યું છે કે જેમને પણ આ રિપોર્ટ વિશે જે પણ વાંધા હોય તે અંગેની વાંધાઅરજી 7 દિવસમાં કોર્ટમાં જમા કરાવવાની રહેશે.

મુસ્લિમ પક્ષ વતી દલીલ કરવામાં આવી હતી કે, 1991ના પ્લેઝ ઓફ વર્શીપ એક્ટને કારણે હિંદુ પક્ષનો દાવો ફગાવી દેવો જોઈએ જેથી સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, જિલ્લા ન્યાયાધીશની અદાલતે આદેશ 7 નિયમ, 11ની સુનાવણી કરવી જોઈએ.

સોમવારે હાથ ધરાયેલી 45 મીનિટની સુનાવણીમાં કોર્ટે કુલ 4 અરજીઓ પર તમામ પક્ષકારોની દલીલો સાંભળી હતી, અને આ મુદ્દે કોની કઇ માંગ સ્વીકારીને સુનાવણી આગળ હાથ ધરવી તે અંગે આવતી આજે ચુકાદો આપવામાં આવવાનો હતો 

જ્ઞાનવાપી કેસની સુનાવણી વચ્ચે કોર્ટમાં વધુ એક દલીલ કરવામાં આવી છે. હિંદુ પક્ષકાર તરફથી થયેલ દલીલમાં કહ્યું છે કે, જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વજુ ખાનામાં વધુ એક શિવલિંગ છે. હાલ અરજદાર બંને પક્ષના વકીલો સાથે કોર્ટ રૂમમાં હાજર છે. બીજા કોઈને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવતો નથી.

આ દરમિયાન ફરી એક વખત વાદીના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, જ્ઞાનવાપી મસ્જિદના સર્વે કેસમાં પ્લઝ ઑફ વર્શિપ એક્ટ 1991 લાગુ પડતો નથી. વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર, વર્ષ 1937માં દીન મોહમ્મદ વિરુદ્ધ રાજ્ય સચિવના કેસમાં, 15 લોકોએ જુબાની આપી હતી કે,1942 સુધી પૂજા થતી હતી, તેથી તે કાયદો ત્યાં લાગુ પડતો નથી

 

adv

Related News

post
post
post
post
post
post
post