• Home
  • News
  • યુઝવેન્દ્ર ને ધનશ્રી ડિવોર્સ લેશે?:લગ્નના દોઢ વર્ષ બાદ જ ધનશ્રીએ પતિની સરનેમ હટાવી, ક્રિકેટરે કહ્યું- નવા જીવનની શરૂઆત
post

22 ડિસેમ્બર, 2020માં બંનેએ લગ્ન કર્યા હતા. ધનશ્રી અવારનવાર ડાન્સ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-18 18:04:20

સો.મીડિયા સેન્સેશન કોરિયોગ્રાફર ધનશ્રી તથા ઇન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અંગત જીવનને કારણે ચર્ચામાં છે. ધનશ્રીએ પોતાના સો.મીડિયા હેન્ડલ પરથી 'ચહલ' સરનેમ હટાવી દીધી છે. લગ્ન બાદ ધનશ્રી વર્માએ પતિની સરનેમ લગાવી હતી. જોકે ધનશ્રીએ પોતાના સો.મીડિયા એકાઉન્ટમાંથી હજી સુધી યુઝવેન્દ્ર સાથેની તસવીરો ડિલિટ કરી નથી. ધનશ્રીએ પતિની સરનેમ હટાવતાં એવી ચર્ચા થવા લાગી છે કે બંને ડિવોર્સ લેવાના છે.

યુઝવેન્દ્રે પણ પોસ્ટ શૅર કરી
ધનશ્રીએ સરનેમ દૂર કરી તો યુઝવેન્દ્રે પણ એક પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'ન્યૂ લાઇફ લોડિંગ' (New life Loading).

ધનશ્રીએ પોસ્ટ શૅર કરી
ધનશ્રીએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે એક રાજકુમારી હંમેશાં પોતાના દુઃખને શક્તિમાં બદલી નાખે છે.

ઓનલાઇન ક્લાસથી મિત્રતા શરૂ થઈ હતી
યુઝવેન્દ્ર ચહલ તથા ધનશ્રી વર્મા પહેલીવાર ઓનલાઇન ક્લાસ દરમિયાન એકબીજાને મળ્યાં હતાં. ચહલે ડાન્સ શીખવા માટે ધનશ્રીના ક્લાસમાં એડમિશન લીધું હતું અને અહીંથી બંનેની લવસ્ટોરી શરૂ થઈ હતી.

2020માં સંબંધો ઓફિશિયલ કર્યા
9
ઓગસ્ટ, 2020ના રોજ યુઝવેન્દ્રે રોકા સેરેમનીની જાહેરાત કરીને ચાહકોને સરપ્રાઇઝ આપી હતી. તેણે ધનશ્રી સાથેની તસવીર શૅર કરીને રિલેશન ઑફિશિયલ કર્યા હતા. 22 ડિસેમ્બર, 2020માં બંનેએ લગ્ન કર્યા હતા. ધનશ્રી અવારનવાર ડાન્સ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે.

એશિયા કપમાં યુઝવેન્દ્ર ચહલ કમબેક કરશે
ટીમ ઇન્ડિયાના સ્ટાર તથા સિનિયર પ્લેયર આ સમયે બ્રેક પર છે. કેએલ રાહુલની કેપ્ટનશિપમાં એક ટીમ ઝિમ્બાબ્વેમાં વન-ડે સિરીઝ રમી રહી છે. આજે એટલે કે 18 ઓગસ્ટે પહેલી વન-ડે છે. આ સિરીઝ બાદ ટીમ ઇન્ડિયા એશિયા કપ રમશે. યુઝવેન્દ્ર એશિયા કપમાં ટીમ ઇન્ડિયા સાથે રમશે. યુઝવેન્દ્રના કરિયરની વાત કરીએ તો તેણે ટીમ ઇન્ડિયા માટે 67 વન-ડેમાં 118 વિકેટ લીધી છે. IPLમાં યુઝવેન્દ્રે અત્યારસુધી 131 મેચ રમીને 166 વિકેટ લીધી છે. હાલમાં યુઝવેન્દ્ર રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post