કિઆરા તથા સિદ્ધાર્થ પહેલી વાર 2018માં 'લસ્ટ સ્ટોરી'ની પાર્ટીમાં મળ્યાં હતાં
સિદ્ધાર્થ મલ્હોત્રા
તથા કિઆરા અડવાણી હંમેશા પોતાના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં
સમાચાર આવ્યા હતા કે, બંને ડિસેમ્બરમાં લગ્ન કરશે. પરંતુ બંનેમાંથી કોઇએ પણ આ અંગે સતાવાર જાહેરાત
કરી ન હતી. પરંતુ હાલ જ લગ્નને લઇને એક મોટું અપડેટ આવ્યું છે, જે જાણીને ફેન્સને
આંચકો લાગશે.
ન્યૂઝ વેબસાઈટ ETimes દ્રારા કિઆરાના એક
મિત્રને પૂછવામાં આવ્યું કે શું કિઆરા જાન્યુઆરીમાં સિદ્ધાર્થ સાથે લગ્ન કરી રહી
છે?, આ સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, 'મને નથી લાગતું કે
બંનેમાંથી કોઈએ અત્યારે લગ્ન વિશે વિચાર્યું હોય.' લગ્નની તમામ અફવાઓને
ફગાવી દેતા વધુમાં જણાવ્યું હતું કે, કિઆરા હાલમાં તેની
કરિયરનો ગોલ્ડન સમય ચાલી રહ્યો છે અને આ સમયે લગ્ન કરીને તેની કરિયર પર બ્રેક લાગી
શકે છે, આ પાછળ એવી પણ શક્યતા છે કે, ઘણી એકટ્રેસની કરિયર લગ્ન પછી ડામાડોળ થઇ ગઇ હતી.
બંનેએ ક્યારે એકબીજા
પ્રત્યે પ્રેમ હોવાનું સ્વીકાર્યું?
કિઆરા તથા સિદ્ધાર્થ પહેલી વાર 2018માં 'લસ્ટ સ્ટોરી'ની પાર્ટીમાં મળ્યાં
હતાં. ત્યાર બાદ બંનેએ ફિલ્મ 'શેરશાહ'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંનેની કેમિસ્ટ્રી
જોરદાર જોવા મળી હતી. કરન જોહરના ચેટ શો 'કૉફી વિથ કરન'માં બંનેએ મિત્રો કરતાં
વિશેષ હોવાનો સ્વીકાર કર્યો હતો. શોમાં કિઆરા અડવાણી એક્ટર શાહિદ કપૂર સાથે આવી
હતી જ્યારે સિદ્ધાર્થ એક્ટર વિકી કૌશલ સાથે આવ્યો હતો. સિદ્ધાર્થ શોમાં આવ્યો
ત્યારે કરન જોહરે શોમાં એક ક્લિપ ચલાવી હતી. આ ક્લિપમાં કિઆરા તથા શહિદ હતા. કિઆરાએ
એ વાત સ્વીકારી હતી કે સિદ્ધાર્થ ક્લોઝ મિત્ર કરતાં વિશેષ છે. લગ્નના પ્લાનિંગ
વિશે કિઆરાએ એવું કહ્યું હતું, 'હું તેને મારા જીવનમાં જોઉં છું, પરંતુ આ શોમાં હું લગ્ન
અંગે કોઈ વાત કરીશ નહીં.' આટલું સાંભળતા જ શાહિદ કપૂરે કિઆરાની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે 15 મિનિટ પહેલાં કિઆરા
રિલેશનશિપનો સ્વીકાર કરવા તૈયાર નહોતી અને હવે તેણે સંબંધોનો સ્વીકાર પણ કરી લીધો!
આ ક્લિપ જોતાં જ સિદ્ધાર્થે કરનને એવું કહ્યું હતું કે તે કિઆરાને આટલી હેરાન કેમ
કરી?
જ્યારે સિદ્ધાર્થે
કહ્યું હતું, કિઆરા સાથે લાંબી મુસાફરી કરવામાં વાંધો નથી
ઓગસ્ટ, 2022માં ફિલ્મ 'શેરશાહ'ને એક વર્ષ થતાં ચાહકો માટે સિદ્ધાર્થ તથા કિઆરાએ સો.મીડિયામાં લાઇવ સેશન
કર્યું હતું. ગયા વર્ષે 'શેરશાહ' 12 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. આ લાઇવ સેશનમાં બંનેએ શૂટિંગ દરમિયાન ચંદીગઢથી
પાલમપુર વચ્ચેની જર્ની યાદ કરી હતી. લાઇવ સેશનમાં સિદ્ધાર્થે કહ્યું હતું કે તેને
કિઆરા સાથે લાંબી મુસાફરી કરવામાં કોઈ જ વાંધો નથી. આ વાત સાંભળીને કિઆરાના ગાલ
શરમથી લાલ થઈ ગયા હતા અને તેણે કહ્યું હતું કે તે સમયે તો તેણે આવી કોઈ લાગણી બતાવી
નહોતી. કારમાં તું તારું કંઈક કામ કરતો હતો. આ સાંભળીને સિદ્ધાર્થે કહ્યું હતું કે
આ લાગણી તેની અંદર હતી.'
કિઆરાનું નામ સાંભળીને
જ સિદ્ધાર્થનો ચહેરો લાલ થઈ ગયો
થોડાં દિવસ પહેલાં જ મુંબઈમાં 'થેંક ગોડ'નો પ્રીમિયર શો યોજાયો
હતો. આ ફિલ્મમાં અજય દેવગન, રકુલ પ્રીત સિંહ તથા સિદ્ધાર્થ મલ્હોત્રા છે. ફિલ્મનો પ્રીમિયર શો પૂરો થયા
બાદ સિદ્ઘાર્થ થિયેટરની બહાર ચાહકોને મળે છે. આ સમયે એક મહિલા સિદ્ધાર્થને કહે છે, 'આ મારી દીકરી કિઆરા' છે. કિઆરાનું નામ
સાંભળતા જ સિદ્ધાર્થની આંખમાં ચમક આવી જાય છે અને ગાલ એકદમ રતુંબડા થઈ જાય છે. તે
જવાબ આપતા કહે છે, 'ઓહ કિઆરા? લવલી..' પછી સિદ્ધાર્થે ફોટો ક્લિક કરાવ્યો હતો.
પ્રીમિયરમાં કિઆરાની
મમ્મી ને દાદી આવ્યા હતા
આ પ્રીમિયર શોમાં કિઆરાની દાદી ને મમ્મી બંને આવ્યા હતા. કિઆરાના મમ્મી-દાદીને
જોતાં જ એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે બંને પોતાના સંબંધો અંગે ઘણાં જ ગંભીર છે.
કોણ છે સિદ્ધાર્થ
મલ્હોત્રા?
સિદ્ધાર્થ મલ્હોત્રા દિલ્હીમાં પંજાબી હિંદુ પરિવારમાં જન્મ્યો છે.
સિદ્ધાર્થના પિતા સુનીલ મર્ચન્ટ નેવીમાં ફોર્મર કેપ્ટન હતા અને માતા રિમ્મા
હોમમેકર છે. સિદ્ધાર્થનો ભાઈ હર્ષદ મલ્હોત્રા બેંકર છે. 18 વર્ષની ઉંમરથી
સિદ્ધાર્થે મોડલિંગની શરૂઆત કરી હતી. ચાર વર્ષ બાદ તેને મોડલિંગથી સંતોષ ના થતાં
તેણે કરિયર છોડી દીધી હતી. ત્યારબાદ 2009માં ટીવી સિરિયલ 'ધરતી કા વીર યૌદ્ધા
પૃથ્વીરાજ ચૌહાણ'માં જયચંદનો રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ તેણે અનુભવ સિંહાની એક ફિલ્મ માટે
ઓડિશન આપ્યું હતું, પરંતુ આ ફિલ્મ અભરાઈ પર ચઢાવી દેવામાં આવ્યા હતા. 2010માં તેણે 'માય નેમ ઇઝ ખાન'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર
તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ કરન જોહરે ડિરેક્ટ કરી હતી. 2012માં સિદ્ધાર્થે કરન
જોહરના બેનર ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'સ્ટૂડન્ટ ઑફ ધ યર'થી બોલિવૂડ ડેબ્યૂ
કર્યું હતું. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન હતા.
સિદ્ધાર્થના સંબંધો આલિયા સાથે થોડો સમય રહ્યા હતા, પરંતુ પછી બંને અલગ થઈ
ગયા હતા.
કોણ છે કિઆરા અડવાણી?
કિઆરા અડવાણીનું સાચું નામ આલિયા અડવાણી છે. તેના પિતા જગદીપ અડવાણી સિંધી છે
અને બિઝનેસમેન છે. તેની માતા જીનીવીવ જાફરી છે. જીનીવીવ મુસ્લિમ માતા તથા
ક્રિશ્ચિન પિતાનું સંતાન છે. જીનીવીવ તથા સ્વ. અશોક કુમાર તથા સ્વ. સઈદ જાફરી
સંબંધીઓ થતા હતા. કિઆરાએ 2014માં પહેલી ફિલ્મ 'ફુગલી' રિલીઝ થાય તે પહેલાં પોતાનું નામ બદલ્યું હતું. ફિલ્મ 'અંજાના અંજાની' (2010)માં પ્રિયંકા ચોપરાના
પાત્રનું નામ કિઆરા હતું. સલમાન ખાને કિઆરાને નામ બદલવાની સલાહ આપી હતી, કારણ કે બોલિવૂડમાં
આલિયા ભટ્ટ એક જાણીતી એક્ટ્રેસ હતી. સલમાનની સલાહ માનીને નામ ચેન્જ કર્યું હતું.
કિઆરા તથા મુકેશ અંબાણીની
સિદ્ધાર્થ-કિઆરાનું
વર્કફ્રન્ટ
સિદ્ધાર્થ તથા કિઆરાએ 'શેરશાહ'માં સાથે કામ કર્યું હતું અને અહીઁથી બંને વચ્ચેના પ્રેમની શરૂઆત થઈ હતી. હવે
સિદ્ધાર્થ વેબસિરીઝ 'ઇન્ડિયન પોલીસ'માં જોવા મળશે. આ સિરીઝને રોહિત શેટ્ટી ડિરેક્ટ કરે છે. કિઆરા 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળશે. આ
ફિલ્મમાં કાર્તિક આર્યન છે.
એકટ્રેસ હાલ RC 15નું શૂટિંગ કરે છે
કિઆરા અડવાણી હાલમાં સાઉથના સુપરસ્ટાર રામ ચરણ સાથે ન્યુઝીલેન્ડમાં 'RC 15' માટે એક ખાસ ગીતનું
શૂટિંગ કરી રહી છે. એસ શંકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક પોલિટિકલ થ્રિલર ફિલ્મ છે, જેમાં રામ ચરણ એક
શાનદાર IAS ઓફિસરના રોલમાં જોવા મળશે.
કિઆરાની આવનારી ફિલ્મ
કિઆરા અડવાણીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવ તો, તે ટૂંક સમયમાં શશાંક ખેતાનના
દિગ્દર્શિત સાહસ ગોવિંદા નામ મેરામાં વિકી કૌશલ સાથે લીડ રોલમાં જોવા મળશે.
ફિલ્મમાં કિઆરા વિકી કૌશલની ગર્લફ્રેન્ડના રોલમાં છે જ્યારે ભૂમિ પેડનેકર પત્નીના
રોલમાં જોવા મળશે. કોમેડી અને સસ્પેન્સથી ભરેલી આ ફિલ્મ 16
ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.