કન્સલ્ટન્સી ફર્મ PWCના સરવેમાં 35 ટકા CEO વ્યાપાર વિવાદને ગ્રોથ માટે સૌથી વધારે જોખમી માને છે
દાવોસઃ વિશ્વભરના CEO વૈશ્વિક GDP (Globle GDP) ગ્રોથને લઈ નિરાશાજનક વલણ ધરાવે છે. ગ્લોબલ કન્સલ્ટન્સી ફર્મ PWCના સરવે પ્રમાણે પ્રથમ વખત 53 ટકા CEOએ ગ્રોથમાં ઘટાડાની વાત કહી છે. ગત વર્ષે આ પ્રકારનો અભિપ્રાય આપનારા CEOનું પ્રમાણ ફક્ત 29 ટકા જ હતું. આ વર્ષે 83 દેશના 1,581 CEOનો સરવેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પૈકી 22 ટકાએ ગ્રોથ વધવાની આશા દર્શાવી છે. ગયા વર્ષે આ સંખ્યા 42 ટકા હતી. સ્વીત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) શરૂ થાય તેના એક દિવસ અગાઉ સોમવારે આ સરવે જારી કરવામાં આવ્યો હતો.
ગ્લોબલ GDP ગ્રોથને લઈ CEOનો વિશ્વાસ 2018માં સૌથી વધારે 57 ટકા હતો
મહત્વની અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં ફક્ત ચીનના CEOના વિશ્વામાં ગત વર્ષની તુલનામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમના મતે આ વર્ષ તેમની કંપનીની આવકમાં વધારો થશે. આ સરવેમાં સામેલ ભારતીય CEOમાં 52 ટકાનું કહેવું છે કે વિશ્વનો GDP ગ્રોથ ઘટશે. ગ્લોબલ GDPને લઈ 2018માં CEOનો વિશ્વાસ સૌથી વધારે હતો. તે સમયે વિશ્વના 57 ટકા CEOએ વિકાસ દરમાં વધારો થવાની આશા વ્યક્ત કરી હતી.
ભારતે ફક્ત 40 ટકા CEOને કંપનીની રેવેન્યુ ગ્રોથ વધવાનો વિશ્વાસ
·
51 ટકા CEO આર્થિક
વિકાસ
દરને
લઈ
અનિશ્ચિત છે.
38 ટકાના
મનમાં
નીતિઓને લઈ
અનિશ્ચિત છે.
·
દેશના
ફક્ત
40 ટકા
CEO ને
વિશ્વાસ છે
કે
આ
વર્ષ
તેમની
કંપનીની આવક
વૃદ્ધિ
વધશે.
ગત
વર્ષ
આ
આંકડા
55 ટકા
હતા.
·
10 ટકા CEOએ
કહ્યું
છે
કે
તેમની
સંસ્થાએ કૌશલ
વિકાસ
કાર્યક્રમોમાં કોઈ
વિકાસ
કર્યો
નથી.
40 ટકાનું
કહેવું
છે
કે
તેની
શરૂઆત
થઈ
છે.