• Home
  • News
  • આ શરતો પર ફિલ્મ સાઈન કરે છે બોલીવુડના આ મોટા સ્ટાર્સ, જાણીને તમે હેરાન થઈ જશો
post

અત્યાર સુધી તમે બોલીવુડ સ્ટાર વિશે ઘણું બધું વાંચ્યું અને સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે સેલેબ્સ ફિલ્મ સાઈન કરતાં પહેલાં મોટી શરત રાખે છે. જો તેને માનવામાં આવે તો તે મૂવી માટે તૈયાર થાય છે. જાણો સલમાનથી લઈને અક્ષય કુમાર સુધીના અભિનેતાઓ કઈ શરતોના આધારે ફિલ્મો સાઈન કરે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-19 18:39:02

મુંબઈ: તમે લોકો હંમેશા બોલીવુડ સ્ટાર્સની લાઈફથી પ્રભાવિત થાવ છો. આથી ફેન્સ તેમની લાઈફસ્ટાઈલ વિશે નાની-મોટી દરેક વસ્તુ જાણવાની ઈચ્છા રાખે છે. સેલેબ્સ કેટલી મોંઘી જિંદગી જીવે છે કે જીવી શકે છે, તેનો અંદાજ ઘણી મામૂલી વાતો પરથી લગાવી શકાય છે. અત્યાર સુધી તમે બોલીવુડ સ્ટાર વિશે ઘણું બધું વાંચ્યું અને સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે સેલેબ્સ ફિલ્મ સાઈન કરતાં પહેલાં મોટી શરત રાખે છે. જો તેને માનવામાં આવે તો તે મૂવી માટે તૈયાર થાય છે. જાણો સલમાનથી લઈને અક્ષય કુમાર સુધીના અભિનેતાઓ કઈ શરતોના આધારે ફિલ્મો સાઈન કરે છે.

1. સલમાન ખાન:
સૌથી પહેલાં વાત કરીએ ઈન્ડસ્ટ્રીના દબંગ ખાનની. સલમાન ખાનનું ઈન્ડસ્ટ્રીમાં બહુ મોટું નામ છે. સલમાન જ્યારે પણ કોઈ ફિલ્મ સાઈન કરે છે ત્યારે તેમની એક મોટી શરત હોય છે. તે એ છે કે સલમાન ખાન કોઈપણ પ્રકારના ઈન્ટીમેટ કે લવ સીન નહીં કરે. આથી તેમને જ્યારે ફિલ્મ ઓફર કરવામાં આવે છે ત્યારે તે ફિલ્મમાં આવા કોઈ જ પ્રકારના સીન હોતા નથી.

2. ઋત્વિક રોશન:
ઋત્વિક રોશન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા ફિટનેસ ફીક્ર સ્ટાર છે. આથી ફિલ્મ ગમે તેટલી મોટી હોય પરંતુ તે પોતાની ફિટનેસ સાથે કોઈ સમજૂતી કરતા નથી. ઋત્વિક પોતાની ફિલ્મ સાઈન કરતાં સમયે શહેરના બેસ્ટ જિમ પર ફોકસ કરે છે. તે સિવાય તેમની સાથે તેમના પર્સનલ શેફ પણ રહે છે. જેથી તેમને ખાવા-પીવાની કોઈ મુશ્કેલી ન થાય.

3. કરીના કપૂર:
કરીના કપૂર ખાન પોતાની ખૂબસૂરતી અને એક્ટિંગથી લાખો-કરોડો દિલો પર રાજ કરે છે. કહેવામાં આવે છે કે કરીના ફિલ્મ સાઈન કરતાં પહેલાં એ ચેક કરે છે કે તેમાં કોઈ એ લિસ્ટ એક્ટર છે કે નહીં. જો મૂવીમાં એ લિસ્ટ એક્ટર ન હોય તો કરીના કપૂર ફિલ્મ કરવાનો ઈનકાર કરી દે છે.

4. અક્ષય કુમાર:
અક્ષય કુમાર તે સ્ટાર છે જે સમયસર સેટ પર પહોંચી જાય છે અને સમયસર શૂટિંગ પૂરું કરીને પાછા જાય છે. અક્ષય કોઈપણ દિવસ કામ કરી શકે છે. પરંતુ રવિવારનો દિવસ તેમને પરિવાર માટે જોઈએ છે. આથી તે રવિવારના દિવસે શૂટિંગ કરતા નથી. જોકે અક્ષયે વન અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા અને બ્રધર્સના સમયે તે નિયમ તોડી ચૂક્યો છે.

5. આમિર ખાન:
બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન દરેક વસ્તુને પરફેક્ટ રીતે કરે છે. આમ તો ફિલ્મ માટે તેમનો ખાસ કોઈ નિયમ નથી. પરંતુ તે લો એંગલ શૂટ કરવા માગતા નથી. જ્યારે લો એંગલ શૂટ શરૂ થાય છે તે શરમાઈ જાય છે. આજ કારણે તે આવું ન કરવાનું યોગ્ય માને છે. સેલેબ્સની શરતો તો જાણી લીધી. હવે જ્યારે તેમની આગામી ફિલ્મ વિશે સાંભળો ત્યારે આ વાતને જરૂરથી નોટિસ કરજો.

 

adv

Related News

post
post
post
post
post
post
post