આલિયા હાલમાં જ 'ડાર્લિંગ્સ'માં જોવા મળી હતી. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી
આલિયા ભટ્ટે હાલમાં જ
નેપોટિઝ્મ અંગે વાત કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યું હતું કે કેટલાંક લોકો
તેને પસંદ કરતાં નથી તો તે લોકો તેની ફિલ્મ જોવાનું બંધ કરી દે. નોંધનીય છે કે
આલિયાને અવારનવાર નેપોટિઝ્મ અંગે ટાર્ગેટ કરવામાં આવે છે. હાલમાં આલિયા ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના પ્રમોશનમાં વ્યસ્ત
છે.
પોતાના કામથી લોકોનું
મોં બંધ કરવા માગે છે
ઇન્ટરવ્યૂમાં આલિયાને સવાલ કરવામાં આવ્યો કે તે નેપોટિઝ્મ ડિબેટ તથા
ટ્રોલિંગને કેવી રીતે જુએ છે? જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું, 'મને લાગે છે કે હું
માત્ર મારા ફિલ્મના માધ્યમથી જ ટ્રોલ્સના મોં બંધ કરી શકું છું. રિસ્પોન્ડ કરીને
હું કંઈ કરી શકું તેમ નથી.'
વધુમાં આલિયાએ કહ્યું
હતું, 'મને પણ ખરાબ લાગે છે, પરંતુ તમારા જે કામને લોકો પ્રેમ કરે છે, સન્માન કરે છે, તેમના માટે ખોટું
લગાડવવું વધુ પડતું છે. હું ચૂપ રહું છું અને મારું કામ કરું છું અને ઘરે જતી રહી
છું. મેં 'ગંગુબાઈ કાઠિયાવાડી' જેવી ફિલ્મ કરી છે. હું બોલીને મારો બચાવ કરી શકું નહીં. જો તમે મને પસંદ
કરતાં નથી તો મારી ફિલ્મ અને મને ના જોશો. આનાથી વધારે તો હું શું કરી શકું?'
લોકોની વાત પર ધ્યાન
આપતી નથી
આલિયાએ ઉમેર્યું હતું, 'લોકોની પાસે હંમેશાં કંઈકને કંઈ કહેવા માટે હોય છે. આશા છે કે હું મારી
ફિલ્મ્સથી સાબિત કરી શકીશ કે હું તે જગ્યાને લાયક છું. મારો જન્મ જે પરિવારમાં થયો
તે મારા હાથમાં નહોતું. મારા પેરેન્ટ્સનું પ્રોફેશન હું કંટ્રોલ કરી શકું તેમ
નહોતી. તમે એવું ઈચ્છો છો કે હું મારા પપ્પાની મહેનત માટે શરમ અનુભવું. મને ઘણું
સરળતાથી મળી જાય છે, પરંતુ હું મારા કામ માટે ઘણી જ મહેનત કરું છું.'
'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે
આલિયા હાલમાં જ 'ડાર્લિંગ્સ'માં જોવા મળી હતી. આ ફિલ્મ
ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આલિયા પહેલી જ વાર રણબીર કપૂર સાથે 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ
ઉપરાંત આલિયા હોલિવૂડ પ્રોજેક્ટ 'હાર્ટ ઑફ સ્ટોન' તથા કરન જોહરની ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે.