• Home
  • News
  • મણિપુરમાં આસામ રાઈફલ્સના જવાને સાથી સૈનિકો પર કર્યા આડેધડ ગોળીબાર, 6 ઈજાગ્રસ્ત
post

ગોળીબાર કરનાર જવાને પોતાને પોતાને ગોળી મારી આત્મહત્યા પણ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-24 14:13:35

દક્ષિણ મણિપુરમાં આસામ રાઈફલ્સના એક જવાને તેના સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો હોવાની ઘટના સામે આવી રહી છે. જેમાં 6 જવાનો ઘાયલ થયા છે. જ્યારે તેણે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટના આસામ રાઈફલ્સ બટાલિયનના કેમ્પસમાં બની હતી, જ્યાં મણિપુરના ચુરાચંદપુરમાં રહેતા સૈનિકે પોતાના સાથી સૈનિકો પર બંદૂક વડે ઓપન ફાયરિંગ કરી દીધું હતું. 

હુમલાખોર જવાન કૂકી સમુદાયનો

માહિતી અનુસાર હુમલો કરનાર જવાન કુકી સમુદાયનો હતો. જેનું ઈજાને લીધે મોત નીપજ્યું હતું. એવો પણ ઘટસ્ફોટ થયો છે કે હુમલાખોરને મૈતેઈ સમુદાયથી કોઈ લેવા દેવા નથી અને તે મણિપુરનો રહેવાસી પણ નહોતો. ઘટનાથી વાકેફ લોકોએ આ માહિતી આપી હતી. જો કે તેણે આ ગોળીબારની ઘટનાને કેમ અંજામ આપ્યો તેના વિશે પણ હજુ કોઈ માહિતી નથી. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.  


adv

Related News

post
post
post
post
post
post
post