• Home
  • News
  • દિલજિત દોસાંજે પિત્ઝા લંગરને નિશાન બનાવનારાને આડે હાથ લીધા, કહ્યું- ઝેર ખાનારા ખેડૂતની ક્યારેય ચિંતા ન થઇ
post

કંગના અને દિલજિત વચ્ચે વર્ડ વોર થઇ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 11:34:05

દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર પિત્ઝા લંગરના ફોટો વાઇરલ થયા હતા. જેના પર લોકોએ મજાક ઉડાવ્યો. હવે સિંગર દિલજિત દોસાંજે તે લોકોને ફટકાર લગાવી છે. દિલજિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

એકદમ સ્પષ્ટવક્તા સમર્થક છે દિલજિત
દિલજિત ખેડૂત આંદોલનમાં એકદમ સ્પષ્ટવક્તા સમર્થકમાંના એક સેલિબ્રિટી છે. તે પ્રોટેસ્ટ વિશે રેગ્યુલર પોસ્ટ અને અપડેટ કરવાની સાથે અધિકારીઓને ખેડૂતોની સમસ્યાઓ પર જલ્દી નિવેડો લેવા માટે કહી રહ્યો છે. દિલજિતે પોસ્ટમાં લખ્યું છે, 'ઝેરનું સેવન કરનારા ખેડૂતોની ક્યારેય ચિંતા ન થઇ પણ પિત્ઝા ખાનારા ખેડૂતના સમાચાર બની ગયા. ઘણું સારું, તમારા દિલને ઘણું દુઃખ થયું છે, થયું ને?'

કંગના અને દિલજિત વચ્ચે વર્ડ વોર થઇ હતી
થોડા દિવસ પહેલાં ખેડૂત આંદોલનના સમર્થન અને વિરોધને લઈને કંગના અને દિલજિત વચ્ચે જબરદસ્ત વર્ડ વોર થઇ હતી. બંનેએ એકબીજાને જડબાતોડ જવાબ સોશિયલ મીડિયા પર આપ્યા હતા. જોકે તે ફાઇટનો કોઈ નિવેડો આવ્યો નહીં, દિલજિત આજે પણ ખેડૂતોના સપોર્ટમાં છે અને કંગના સતત આ આંદોલનનો વિરોધ કરી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post