કંપનીના માલિક રાજીવે મીડિયાને જણાવ્યું કે, તેમની પેઢી છેલ્લા ત્રણ વર્ષથી વાસણો બનાવી રહી છે. તેમના આ ખાસ વાસણોમાં સમગ્ર ભારતના વારસાની ઝલક જોવા મળે છે
નવી દિલ્હી: ભારતમાં 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન G-20 સમિટ શરૂ થવા જઈ રહી છે.
જેનું ભારત પ્રથમ વખત આયોજન કરવા જઈ રહ્યું છે. G-20 સમિટમાં વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના
ટોચના નેતાઓ ભાગ લેવાના છે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
આ કોન્ફરન્સમાં અનેક દેશોના
વીવીઆઈપી મહેમાનો ભાગ લેશે. જેમને શાહી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. જ્યાં એક તરફ
અનેક પ્રકારના ભોજન હશે તો બીજી તરફ સોના-ચાંદીના વાસણોમાં ભોજન પીરસવામાં આવશે.
મીડિયા
રિપોર્ટ્સ અનુસાર,
કોન્ફરન્સમાં
તમામ મહેમાનો માટે ભવ્ય ફિસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ વિશેષ મહેમાનોને
સોના-ચાંદીના વાસણોમાં ભોજન પીરસવામાં આવશે. આ વાસણો બનાવતી કંપની 11 હોટલોને વાસણો મોકલી રહી
છે, જેમાં તાજ હોટલનો પણ
સમાવેશ થાય છે.
મહેમાનોને
પીરસવામાં આવતા ભોજન માટે અલગ-અલગ હોટેલોના શેફે તેમના મેનુ તૈયાર કર્યા છે અને
તેમની પસંદગી અનુસાર સોના-ચાંદીના વાસણો તૈયાર કરવામાં આવ્યા છે. સોના અને ચાંદીના
વાસણો બનાવતા પહેલા તેમની સામગ્રીને પરીક્ષણ માટે RND લેબમાં મોકલવામાં આવી
હતી. આ પછી,
હોટેલને
જે આકાર અને સાઇઝના વાસણની જરુર હતી તેને તેવા જ બનાવીને મોકલવામાં આવ્યા હતા.
કંપનીના
માલિક રાજીવે મીડિયાને જણાવ્યું કે, તેમની પેઢી છેલ્લા ત્રણ વર્ષથી વાસણો બનાવી રહી છે.
તેમના આ ખાસ વાસણોમાં સમગ્ર ભારતના વારસાની ઝલક જોવા મળે છે, તેથી તેમનો પ્રયાસ રહે
છે કે, વિદેશી મહેમાનોને પણ
ટેબલ પર ભારતની ઝલક જોવા મળે. તેમના કહેવા પ્રમાણે આ ખાસ ગોલ્ડ અને સિલ્વર વાસણમાં
જયપુર, ઉદયપુર, બનારસ અને કર્ણાટકની
કોતરણી કરવામાં આવી છે.