• Home
  • News
  • રામમંદિર નહીં તો કયા મંદિરે પહોંચી સારા અલી ખાન...? Photo જોઇ ફેન્સ શું બોલ્યા જુઓ
post

એક્ટ્રેસ ભોલેબાબાની ભક્ત છે. તે ભગવાન શંકરના મંદિરોમાં ઘણીવખત જાય છે. બાબા ભોલેનાથના દર્શનના ફોટો શેર કરતા સારાએ લખ્યુ, જય ભોલેનાથ.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-24 13:48:52

મુંબઈ: બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન મુસ્લિમ હોવા છતાં અન્ય ધર્મોમાં પણ આસ્થા, શ્રદ્ધા રાખે છે. 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યુ. જ્યાં બોલીવુડના ઘણા સ્ટાર્સે હાજરી આપી. જોકે, ખાન પરિવારમાંથી (સૈફ અલી ખાન ફેમિલી) માંથી આ પ્રાણ પ્રતિષ્ઠામાં કોઈ સામેલ થયુ નહોતુ. સારા અલી ખાન જેમને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યુ નહોતુ. તે ભોલેબાબાના દરબાર પહોંચી.

સારા ભોલેનાથ દરબાર પહોંચી

સારા અલી ખાન ઘણા મંદિરોમાં દર્શન કરતી નજરે પડે છે. આ વખતે તે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી. જ્યાં તેણે મહાદેવના દર્શન કર્યા અને નંદીજીના કાનોમાં પણ પોતાની વાતો કહેતી નજર આવી. એક્ટ્રેસે આ તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી છે. મહાદેવ માટે તેની ભક્તિએ લોકોનું દિલ જીતી લીધુ છે.

મહારાષ્ટ્રના ઓરંગાબાદથી 20 કિલોમીટર દૂર વેરુલ ગામમાં બનેલા ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં સારા અલી ખાને ભોલેનાથના દર્શન કર્યા. જોકે આ પહેલી વખત નથી કે જ્યારે સારાએ મંદિરમાં દર્શન કર્યા હોય. એક્ટ્રેસ ભોલેબાબાની ભક્ત છે. તે ભગવાન શંકરના મંદિરોમાં ઘણીવખત જાય છે. બાબા ભોલેનાથના દર્શનના ફોટો શેર કરતા સારાએ લખ્યુ, જય ભોલેનાથ.

ચાહકોએ કહ્યુ- નામમાંથી અલી હટાવી દો

સારાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ચાહકોને સારાની મહાદેવમાં ભક્તિ પસંદ આવી. તેમણે એક્ટ્રેસના વખાણ કરતા તેને સલાહ આપી કે તેણે પોતાના નામમાંથી અલી હટાવી દેવુ જોઈએ. 

સારા અલી ખાન વર્કફ્રંટ

વર્ષ 2023માં એક્ટ્રેસની વિક્કી કૌશલ સાથે ફિલ્મ 'જરા હટકે જરા બચકે' રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પસંદ કરવામાં આવી હતી. હવે એક્ટ્રેસ 'સ્કાય ફોર્સ'માં હોવાની ચર્ચા છે.


adv

Related News

post
post
post
post
post
post
post