ડોક્ટરોની સલાહ મુજબ હું હોમ આઈસોલેશનના તમામ નિયમોનું પાલન કરી રહ્યો છું
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા કોરોના પોઝિટિવ થયા
છે. તેમણે પોતે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોરોનાના લક્ષણ દેખાતા
તેમણે ટેસ્ટ કરાવ્યો હતો જેમાં સંક્રમિત થયા હોવાનું જણાવ્યું હતું. ડૉક્ટરની
સલાહથી ઘરમાં જ આઈસોલેટ થયા છે. તેમના સંપર્કમાં આવેલાને તપાસ કરાવવા અપીલ કરી છે.
તેઓના આગળના તમામ કાર્યક્રમોને પણ રદ કરી દેવાયા છે. અત્યાર સુધી અમિત શાહ સહિત 10 મંત્રી સંક્રમિત થઈ ચૂક્યા છે.
તેઓએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે કોરોનાના પ્રારંભિક
લક્ષણો જણાતા મે ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરોની સલાહ
મુજબ હું હોમ આઈસોલેશનના તમામ નિયમોનું પાલન કરી રહ્યો છું. મારા સંપર્કમાં આવનાર
તમામ લોકો પોતાને આઈસોલેટ કરી લે અને પોતાની તપાસ કરાવે.
અમિત શાહ સહિત 10 મંત્રી સંક્રમિત થયા હતા
ગૃહમંત્રી અમિત શાહ. ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી સાધ્વી
નિરંજન. કેમિકલ અને ખાતર મંત્રી સદાનંદ ગૌડા. પરિવહન મંત્રી નીતિન ગડકરી.
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન. સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી
રામદાસ આઠવલે. સંસદીય, કોલસા
અને ખાણકામ બાબતોના મંત્રી પ્રહલાદ જોશી. રેલ્વે રાજ્યમંત્રી સુરેશ આંગડીનું
સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની. ભારે
ઉદ્યોગ રાજ્યમંત્રી અર્જુન મેઘવાલ.