કોવિડ-19 રોગચાળાએ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની પધ્ધતિમાં ફરી વિચારવા માટે મજબૂર કર્યા છે
Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 09:24:53
મુંબઈ: વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી બચાવવા IIT મુંબઈ આગામી સેમેસ્ટરનું સંચાલન સંપૂર્ણપણે ઓનલાઈન કરશે. દેશમાં પ્રથમવાર કોઈ મોટી સંસ્થા દ્વારા વર્ગ રદ કરીને ઓનલાઈન શિક્ષણનો નિર્ણય લેવાયો હોય તેવી આ પ્રથમ ઘટના છે. IIT મુંબઈના 62 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર સેમેસ્ટરના પ્રારંભે કેમ્પસમાં વિદ્યાર્થીઓ હશે નહીં.
બીજી
IIT પણ તેનું અનુકરણ કરીને
જુલાઈથી ડિસેમ્બર સુધી ચાલનારા સેમેસ્ટર માટે આ પ્રકારનો નિર્ણય લે તેમ મનાય છે.
જોકે હજી સુધી કોઈએ જાહેરાત કરી નથી. IIT મુંબઈના ડાયરેક્ટર સુભાશિષ
ચૌધરીએ કહ્યું કે બુધવારે સેનેટમાં લાંબી વિચારણા કર્યા પછી આ નિર્ણય લેવાયો છે.
કોવિડ-19
રોગચાળાએ
વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની પધ્ધતિમાં ફરી વિચારવા માટે મજબૂર કર્યા છે.