અત્યાર સુધી વિમાન કંપનીઓને 60 ટકા ક્ષમતા સાથે કામ કરવાની છૂટ હતી
Written By newsonline | Ahmedabad | Published: 2020-11-13 12:03:06
તહેવારોની સિઝનમાં ઘરેલુ
હવાઇ મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે વિમાન કંપનીઓને 70 ટકા ક્ષમતા સાથે ઉડાન
ભરવાની છૂટ આપી છે. નાગરીક ઉડ્ડયન મંત્રી હરદિપ સિંહ પુરીએ આ જાણકારી આપી હતી. અત્યાર
સુધી વિમાન કંપનીઓને 60 ટકા ક્ષમતા સાથે કામ કરવાની છૂટ હતી.