આગામી 3 દિવસોમાં G20 સમિટને પગલે લગભગ 80 જેટલી આવનારી અને 80 જેટલી જનારી ફ્લાઈટોની અવર-જવર પર અસર થશે
દેશની રાજધાની નવી દિલ્હીમાં G20 સમિટ (G20 Summit) ને લઈને તૈયારીઓ કરી
લેવાઈ છે. આ દરમિયાન જ સંપૂર્ણ રાજ્યમાં ટ્રાફિક પ્રતિબંધો લાગુ કરવામાં આવતાં
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 160થી વધુ ફ્લાઈટો રદ
કરવામાં આવી છે. આ માહિતી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL)ના પ્રવક્તાએ આપી હતી.
DIALએ શું કારણ આપ્યું?
દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના
પ્રવક્તાએ કહ્યું કે આગામી 3 દિવસોમાં G20 સમિટમાં જોડાવા માટે ફ્લાઈટોના
સંચાલનને કારણે લગભગ 80
જેટલી
આવનારી અને 80
જેટલી
જનારી ફ્લાઈટોની અવર-જવર પર પણ અસર થશે અને તેના લીધે જ તેને રદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સમિટના 3 દિવસ માટે આવનારા વિમાનો
માટે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરી લેવામાં આવી છે.
દિલ્હી એરપોર્ટ પર સંચાલિત થતી 8 ટકા ફ્લાઈટો પર અસર
તેમણે
કહ્યું કે અમે 80
જેટલી
ડિપાર્ટ અને 80
જેટલી
અરાઈવિંગ ડોમેસ્ટિક ફ્લાઈટોની નોંધ લીધી છે જેના પર 3 દિવસમાં અસર થશે. કુલ 160 ફ્લાઈટો થાય છે જે
દિલ્હી એરપોર્ટ પર સામાન્ય દિવસોમાં આવતી જતી ફ્લાઈટોની 8% જેટલી થાય છે જેને રદ
કરવામાં આવી છે. આ પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર લાગુ નહીં પડે. આ સાથે
મુસાફરોને કોઈ તકલીફ ન પડે તેનું પૂરેપુરું ધ્યાન રખાશે.
એરલાઈન્સે વન ટાઈમ વેવરની ઓફર કરી
આ
સાથે જ વિસ્ટારા અને એર ઈન્ડિયા જેવી એરલાઈન્સ કંપનીએ તેમના કસ્ટમરને તેમણે
ચૂકવેલા ચાર્જ માટે વન ટાઈમ વેવરની ઓફર કરી દીધી છે. મુસાફરોને અપડેટ ચેક કરતાં
રહેવા પણ અપીલ કરાઈ છે. આ સાથે કસ્ટમરને ફ્લાઈટ રિશિડ્યુલ કે પછી રિફંડની ઓફર પણ
કરાઈ છે.