• Home
  • News
  • બર્ગર કિંગના IPOમાં ઉછાળો:3 દિવસમાં 232% વળતર, 156 ગણો છલકાયો; 2020ના સૌથી વધારે ભરાયેલા ટોપ 5 IPOમાં બીજા ક્રમે
post

સતત બે દિવસથી શેરના ભાવમાં 20%ની અપર સર્કિટ લાગી, 60ના ઇશ્યૂ ભાવ સામે હાલ કિંમત 199.25 રૂપિયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 10:35:48

રોકાણકારો પોતાનું નસીબ અજમાવવા માટે અલગ-અલગ કંપનીઓના આઈપીઓમાં ભરતા હોય છે. તાજેતરમાં જ બર્ગર કિંગનો આઈપીઓ આવ્યો હતો. આ કંપનીનો શેર 14મી ડિસેમ્બરના રોજ એટલે કે બે દિવસ પહેલા ભારતીય શેરબજારમાં લિસ્ટેડ થયો છે. આ શેર 92 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. એટલે કે જેમને પણ શેર લાગ્યા હતા તે તમામને સીધું 92 ટકા વળતર મળ્યું હતું. જેના બે દિવસ સુધી બર્ગર કિંગના શેરમાં અપર સર્કિટ જોવા મળી છે. સોમવારે લિસ્ટેડ થયા બાદ મંગળવારે અને બુધવારે શેરની કિંમતમાં અપર સર્કિટ લાગી છે.

ત્રણ ગણું વળતર મળ્યું
બુધવારે આ શેરની કિંમત અપર સર્કિટ સાથે 199.25 રૂપિયા જોવા મળ્યો છે. એટલે કે આઈપીઓમાં જે લોકોને શેર લાગ્યા છે તેમને ત્રણ જ દિવસમાં 232.08 ટકાનું વળતર મળ્યું છે એમ કહી શકાય. બર્ગર કિંગનો શેર લિસ્ટેડ થયો ત્યારથી અત્યાર સુધી જે લોકોએ આ શેર સાચવી રાખ્યો છે તેમને શેરની કિંમતના ત્રણ ગણું વળતર મળ્યું છે. બુધવારે આ શેરમાં 20 ટકાની અપર સર્કિટ જોવા મળી હતી. આ સાથે જ આ શેરમાં ઇશ્યૂ પ્રાઈસથી 3.3 ટકા વળતર જોવા મળ્યું હતું. બર્ગર કિંગે ભારતમાં નવેમ્બર 2014માં પ્રથમ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. ત્યારથી અત્યાર સુધી દેશમાં કંપનીએ 251 રેસ્ટોરન્ટ ખોલી છે. આ રેસ્ટોરન્ટ 17 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશના 57 શહેરોમાં આવેલી છે.

કોરોનાને કારણે કંપનીને અસર
કંપનીની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો વર્ષ 2018માં કંપનીની આવક 375.20 કરોડ રૂપિયા હતી. જે વર્ષ 2020માં ડબલ એટલે કે 835.32 કરોડ રૂપિયા થઈ હતી. જો કે છેલ્લા છ મહિનાથી કોરોના અસરને પગલે કંપનીને ખૂબ માઠી અસર પહોંચી છે.

2020માં સૌથી વધારે ભરાયેલા આઈપીઓ
મઝગાંવ ડોસ્ક શિપ બિલ્ડર્સ લિમિટેડઃ (ઇશ્યૂ સાઈઝઃ 443 કરોડ) 157.41 ગણો ભરાયો
બર્ગર કિંગ ઇન્ડિયાઃ (ઇશ્યૂ સાઈઝઃ 810 કરોડ) 156.65 ગણો ભરાયો
હેપ્પીએસ્ટ માઈન્ડ્સ ટેકનોલોજીસઃ (ઇશ્યુ સાઈઝઃ 705 કરોડ) 150.98 ગણો ભરાયો
કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડઃ (ઇશ્યૂ સાઈઝઃ 318 કરોડ) 149.2 ગણો ભરાયો
રોસારી બાયોટેકઃ (ઇશ્યૂ સાઈઝઃ 496 કરોડ) 79.37 ગણો ભરાયો

લિસ્ટિંગના દિવસે જ 50%થી વધારે વળતર આપનાર આઈપીઓ
2020
ના નાણાકીય વર્ષમાં કંપનીઓએ આઈપીઓના માધ્યમથી આશરે 30,000 કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે. આ તમામ આઈપીઓમાંથી પાંચ આઈપીઓ એવા હતા જેમણે રોકાણકારોને પ્રથમ દિવસે જ 50 ટકાથી વધારે વળતર આપ્યું હતું. જેમાંથી બે આઈપીઓ એવા હતી જેમના શેરની કિંમત પ્રથમ દિવસે જ બેગણી થઈ ગઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post