ગૂગલ પર અનેક કી-વર્ડ સર્ચ કર્યા પછી પણ ઈન્ટરનેટ પર અમને એવા કોઈ સમાચાર મળ્યા નથી, જેનાથી સમર્થન મળે કે ભારત-પાક. સરહદે ભારતીય સેનાના 28 જવાન શહીદ થયા છે
શું થઈ રહ્યું છે વાયરલઃ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી
રહ્યો છે કે ભારત-પાક. સરહદે થયેલી અથડામણમાં 28 ભારતીય જવાનો શહીદ થઈ ગયા. દાવાની
સાથે એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરી રહેલા મોટાભાગના હેન્ડલ પાકિસ્તાનના
છે.
અને સત્ય શું છે?
· ન્યુઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર, 13 નવેમ્બરે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. જો કે, આ રિપોર્ટમાં 28 જવાનોના શહીદ થવાનો ઉલ્લેખ નથી.
·
ગૂગલ પર અનેક કી-વર્ડ સર્ચ કર્યા પછી પણ ઈન્ટરનેટ પર અમને
એવા કોઈ સમાચાર મળ્યા નથી, જેનાથી
સમર્થન મળે કે ભારત-પાક. સરહદે ભારતીય સેનાના 28 જવાન શહીદ થયા છે.
·
13 નવેમ્બરે
પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના પુંચ, કેરન, ગુરેજ સેક્ટરમાં સીઝફાયર વાયોલેશન
કર્યુ હતું. કુપવાડાથી લઈને બારામુલા સુધી પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યુ હતું.
જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પણ અનેક પાકિસ્તાની બંકર તબાહ કરી દીધા હતા.
·
દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, સરહદે થયેલી આ અથડામણમાં બીએસએફ
અને આર્મીના 5 જવાનો
શહીદ થયા હતા. 6 ભારતીય
નાગરિકોના પણ મોત થયા. જ્યારે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના
3 કમાન્ડો
સહિત 11 સૈનિકો
ઠાર થયા હતા.
·
આ બધાથી સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર કરાઈ રહેલો 28 ભારતીય જવાનોના શહીદ થયાનો દાવો
ફેક છે. તપાસના આગામી તબક્કામાં અમે દાવાની સાથે શેર કરાતા ફોટોની સત્યતા
તપાસવાનું શરૂ કર્યુ.
· વાયરલ ફોટોને ગૂગલ પર રિવર્સ સર્ચ કરવાથી અમને 2016ની સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ આ ફોટો મળ્યો. સ્પષ્ટ થયું કે ફોટો ઓછામાં ઓછો 4 વર્ષ જૂનો છે અને તેને 2020માં ભારત-પાક. સરહદે થયેલી અથડામણ સાથે કોઈ સંબંધ નથી.
·
હફિંગ્ટન પોસ્ટના આર્ટિકલમાં પણ અમને આ જ ફોટો મળ્યો.
કેપ્શનથી ખ્યાલ આવ્યો કે ફોટો 30 જૂન, 2010નો
છત્તીસગઢમાં થયેલા નકસલી હુમલાનો છે.