નેપાળમાં સંક્રમણના અત્યાર સુધીમાં 295 કેસ, બે લોકોએ જીવ ગુમાવ્યા
વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર
સુધીમાં 48
લાખ
1 હજાર 532 લોકો સંક્રમિત છે.
જ્યારે તેનાથી જીવ ગુમવનારાઓની સંખ્યા 3 લાખ 16 હજાર 663 થઈ છે. જોકે 18 લાખ 58 હજાર 108 લોકો કોરોનાને માત આપી
સાજા થયા છે. નેપાળમાં લોકડાઉનને 2 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. બીજી તરફ ન્યુયોર્કના
ગવર્નર એન્ડ્રયૂ ક્યૂમોએ પત્રકારો સામેના લાઈવ બ્રીફિંગ દરમિયાન કોરોનાવાઈરસનો
ટેસ્ટ કરાવ્યો.
ક્યૂમોએ
કહ્યું કે તેઓ એ જોવા માંગતા હતા કે ટેસ્ટ કેટલો ઝડપી અને સરળતાથી થાય છે. તેમણે
કહ્યું કે રાજ્યમાં પ્રત્યેક દિવસે 40 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં
છે. ન્યુયોર્ક અમેરિકામાં મહામારીનું એપિસેન્ટર રહ્યું છે. અહીં 24 કલાકમાં 139 લોકો મૃત્યુ પામ્યા છે.
મોતનો આંકડો 28
હજાર
325 થયો છે.
અમેરિકાઃ 90 હજારથી વધુ મોત
અમેરિકામાં
24 કલાકમાં 820 લોકોએ જીવ ગુમાવ્યા છે.
મૃત્યુ પામનારાઓની સંખ્યા 90
હજારથી
વધુ થઈ ગઈ છે. અહીં પ્રત્યેક દિવસે થતા મોતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. દેશમાં
15 લાખ 27 હજારથી વધુ લોકો
સંક્રમિત છે. ન્યુયોર્ક અને ન્યુજર્સીમ સૌથી વધુ પ્રભાવિત છે. ન્યુયોર્કમાં જ
સંક્રમણના ત્રણ લાખથી વધુ કેસ છે. ન્યુજર્સીમાં એક લાખથી વધુ મામલાઓ પ્રકાશમાં
આવ્યા છે,
જ્યારે
10 લોકોના મોત થયા છે.
ફ્રાન્સઃ 28 હજાર લોકોના મોત
ફ્રાન્સમાં
24 કલાકમાં 483 લોકોના મોત થયા છે.
મૃતકોની સંખ્યા 28
હજાર
108 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય
મંત્રાલયે રવિવારે જણાવ્યું કે હોસ્પિટલોમાં 54 લોકોના મોત થયા છે. જ્યારે
વૃદ્ધાશ્રમોમાં 429
લોકોએ
જીવ ગુમાવ્યા છે. દેશમાં 1
લાખ
79 હજારથી વધુ સંક્રમિત છે.
ફ્રાન્સે તેની સુસ્ત પડેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે બે મહિનાથી લાગુ
લોકડાઉનના નિયમોમાં ઢીલ આપી છે. અહીં કેટલીક આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાની પરવાનગી
છે. સ્વાસ્થ્ય મંત્રી ઓલીવર વીરને કહ્યું કે 10થી 15 દિવસ દરમિયાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. બાદમાં
આગળની રણનીતી પર વિચાર કરવામાં આવશે.
ઈટાલીઃ નવા મામલાઓ અને મોતોના
આંકડામાં ઘટાડો
ઈટાલીમાં
પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી તેના એક દિવસ પહેલા જ દેશમાં સૌથી ઓછા 145 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ આંકડો લોકડાઉન બાદ સૌથી ઓછો છે. અહીં પ્રત્યેક દિવસે થતા મોતના આંકડામાં ઘટાડો
થઈ રહ્યો છે. જ્યારે 24
કલાકમાં
675 નવા કેસ મળ્યા છે. આ
આંકડો 4 માર્ચ બાદ સૌથી ઓછો છે.
એક દિવસ પહેલા શનિવારે અહીં 875 નવા કેસ મળ્યા હતા, જ્યારે 153 મોત થયા હતા. સોમવારેથી
દેશમાં 10
સપ્તાહથી
ચાલી રહેલા લોકડાઉનમાં સૌથી મોટી રાહત આપવામાં આવશે. દુકાન, રેસ્ટોરન્ટ, સલુન અને બીચ ખોલવામાં
આવશે.