વર્ષ 2006માં નિર્માણ પામેલી આ ઈમારતના પાર્કિંગમાં રહેલી કેટલીક કારને નુકસાન થયું
Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 11:58:20
શારજાહ: શારજાહમાં 49માળની
એક ઈમારતમાં મંગળવાર રાત્રે ભયંકર આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ આ આગ
ટાવરમાં ફેલાઈ ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. અલબત 12 લોકો
આગને લીધે દાઝી ગયા હતા. શારજાહના અલ નહદા વિસ્તારમાં આવેલી અબ્બાકો ટાવરમાં
લાગેલી આગને અંકૂશમાં લેવામાં ફાયર બ્રિગેડની
ટીમોને ખૂબ જ મહેનત પડી હતી. સ્થાનિક સત્તાવાળાઓએ કહ્યું હતું કે આ ઘટનામાં
ટાવરમાં રહેતા આશરે 250 પરિવારોને બચાવવામાં આવ્યા હતા. સ્થાનિક
સમય પ્રમાણે 9.04 વાગે આ ઈમારતના દસમાં માળે આગ લાગી
હતી. આગ અંગેનું કારણ હજું જાણી શકાય નથી. વર્ષ 2006માં
નિર્માણ પામેલી આ ઈમારતના પાર્કિંગમાં રહેલી કેટલીક કારને નુકસાન થયું હતું.