અમદાવાદને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આગામી 12 માર્ચ અમદાવાદ મુંબઈ વચ્ચે વંદેભારત ટ્રેનને પીએમ નરેન્દ્ર મોદી ફ્લેગ ઓફ કરાવશે
Written By newsonline | Ahmedabad | Published: 2024-03-11 17:46:02
અમદાવાદને ચોથી વંદે
ભારત ટ્રેન મળવાની છે. 12 માર્ચે
પીએ મોદી અમદાવાદ- મુંબઈ વચ્ચે 'વંદે
ભારત' ટ્રેનને
લીલી ઝંડી બતાવશે. હાલમાં ગાંધીનગર- મુંબઈ, અમદાવાદ-
જોધપુર અને અમદાવાદ- જામનગર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડી રહી છે. હવે અમદાવાદ-
મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થશે.
અમદાવાદ- મુંબઈ વચ્ચે
દોડનારી વંદે ભારત ટ્રેન સવારે 6.10થી
અમદાવાદ થઈ ઉપડશે, જે સવારે 7 .06એ
વડોદરા પહોંચશે. અને સવારે 11.35એ મુંબઈ સેન્ટ્રલ
પહોંચશે. આ જ પ્રકારે મુંબઈ
સેન્ટ્રલથી બપોરે 3.55એ ઉપડશે અને રાત્રે 9.25 એ
અમદાવાદ પહોંચશે.
આ
ટ્રેનમા 16 કોચ
હશે અને રવિવાર સિવાયના સપ્તાહમાં 6 દિવસ
ઉપડશે. જે 160 કિમી
પ્રતિ કલાકની ઝડપે દોડે તેવી સંભાવના છે. જેના કારણે અમદાવાદ- મુંબઈના પ્રવાસીઓની 30 મિનિટ
બચી જશે.