6 લાખ મુસાફરોના હિસાબે તૈયારીઓ કરવામાં આવી રહી છે
29 જૂનથી અમરનાથ યાત્રા
શરૂ થવા જઈ રહી છે. આ વખતે આ યાત્રા 19 ઓગસ્ટ સુધી ચાલશે. ગત
વર્ષે આ યાત્રા 1 જુલાઈ 2023થી શરૂ થઈ હતી. આ વખતે યાત્રા 52 દિવસ સુધી ચાલશે. આ
માટેનું રજિસ્ટ્રેશન 15મી એપ્રિલ એટલે કે આજથી શરૂ થઈ ગયું છે. સરકારી આદેશ અનુસાર, 13 થી 70 વર્ષની વયના ભારતીય
નાગરિકો અમરનાથ યાત્રા કરી શકે છે. પ્રવાસ માટે જરૂરી મેડિકલ સર્ટિફિકેટ મેળવવાની
પ્રક્રિયા ચાલી રહી છે.
રજિસ્ટ્રેશન કેવી રીતે થશે?
15 એપ્રિલથી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રજિસ્ટ્રેશન થઈ શકશે. ઓનલાઈન
રજિસ્ટ્રેશન માટે તમે શ્રાઈન બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર લોગઈન કરી શકો છો.
જો તમે મોબાઈલ
એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરાવવા માગતાં હો તો તમારે શ્રી અમરનાથજી યાત્રા એપ
ડાઉનલોડ કરવી પડશે. જ્યારે, ઑફલાઇન નોંધણી પંજાબ નેશનલ બેંક, SBI, યસ બેંક અને જમ્મુ અને
કાશ્મીર બેંકમાંથી કરી શકાય છે.
કેવી રીતે પહોંચવું: મુસાફરી માટે બે રૂટ
પહેલગામ રૂટઃ આ રૂટથી ગુફા સુધી પહોંચવામાં 3 દિવસ લાગે છે, પરંતુ આ રસ્તો સરળ છે.
પ્રવાસમાં ઊભું ચઢાણ નથી. પહેલગામથી પહેલું સ્ટોપ ચંદનવાડી છે. તે બેઝ કેમ્પથી 16 કિમી દૂર છે. અહીંથી
ચઢાણ શરૂ થાય છે.
ત્રણ કિલોમીટર ચડ્યા
પછી યાત્રા પિસુ ટોપ પર પહોંચે છે. અહીંથી પગપાળા યાત્રા સાંજે શેષનાગ પહોંચે છે.
આ યાત્રા લગભગ 9 કિમીની છે. બીજા દિવસે, મુસાફરો શેષનાગથી પંચતરણી જાય છે. તે શેષનાગથી લગભગ 14 કિમી દૂર છે. આ ગુફા
પંચતરણીથી માત્ર 6 કિમી દૂર રહે છે.
બાલતાલ રૂટઃ જો સમય ઓછો હોય તો તમે
બાબા અમરનાથનાં દર્શન માટે બાલતાલ રૂટથી જઈ શકો છો. તેમાં માત્ર 14 કિમી ચડવું પડે છે, પરંતુ તે ચઢાણ ખૂબ જ
ઊભું છે, તેથી વૃદ્ધોને આ માર્ગ પર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માર્ગ પર સાંકડા
માર્ગો અને જોખમી વળાંકો છે.