રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બીએસઈએસ રાજધાની અને બીએસઈએસ યમુનામાં 51% હિસ્સો છે
નવી દિલ્હી: અનિલ અંબાણીની આગેવાની વાળી અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (ADAG)ની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાટનગર દિલ્હીમાં તેનો પાવર ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ વેચવા માંગે છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિલ્હી સ્થિત બીએસઈએસ રાજધાની પાવર લિમિટેડ (બીઆરપીએલ) અને બીએસઇએસ યમુના પાવર લિમિટેડ (બીવાયવાયલ)માં 51-51% હિસ્સો છે. આ મામલાથી પરિચિત ત્રણ સ્રોતોના જણાવ્યા અનુસાર રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બંને કંપનીઓમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચવા માંગે છે.
આ રોકાણકારોએ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી
આ બાબતથી પરિચિત સૂત્રોના જણાવ્યા અનુસાર સંસ્થાકીય રોકાણકાર
સીડીપીક્યુ, એક્ટિસ એલએલપી અને
બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાવર ડિસ્ટ્રિબ્યુશન
બિઝનેસ ખરીદવાની તૈયારી દર્શાવી છે. આ સિવાય ગ્રીનકો એનર્જી હોલ્ડિંગ્સ, ઇનીલ ગ્રુપ, આઈ સ્ક્વાર્ડ કેપિટલ, ટોરેન્ટ પાવર અને વેડ કેપિટલ
ગ્રુપ એલએલસીએ પણ આ સોદામાં રસ દાખવ્યો છે. લાઇવ મિન્ટના અહેવાલ મુજબ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
દ્વારા હિસ્સો વેચવા માટે ખરીદદારો શોધવાની જવાબદારી કેપીએમજીને સોંપવામાં આવી છે.
દેવું ચુકવવા માટે હિસ્સો વેચવામાં આવી રહ્યો છે
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દેવું ઘટાડવા સંપત્તિનું વેચાણ કરી
રહ્યું છે. ઓગસ્ટ 2018માં, રિલાયન્સ ઇન્ફ્રાએ મુંબઇ સિટી
પાવર ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ અદાણી ટ્રાન્સમિશનને વેચ્યો હતો. રિલાયન્સ ઇન્ફ્રાને આ
વેચાણમાંથી રૂ. 18,800 કરોડ મળ્યા હતા. 8 મેના રોજ માર્ચ
ક્વાર્ટરના નાણાકીય પરિણામોની જાહેરાત કરતી વખતે, રિલાયન્સ ઇન્ફ્રાએ આગામી નાણાકીય વર્ષ સુધીમાં કંપનીને દેવા મુક્ત બનાવવાની
જાહેરાત કરી હતી.
બીએસઈએસ રાજધાની અને યમુના નજીકના 44 લાખ ગ્રાહકો
બીએસઇએસ રાજધાની અને બીએસઇએસ યમુના, જે રાજધાની દિલ્હીની મોટી વીજ
વિતરણ કંપનીઓમાં શામેલ છે તેના 44 લાખ ગ્રાહકો છે. પાટનગર દિલ્હીમાં 2002માં વીજ વિતરણનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દિલ્હીનું વીજ વિતરણ
બીઆરપીએલ, બીવાયવાયલ અને ટાટા
પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ ત્રણ કંપનીઓને સોંપવામાં આવ્યું હતું. આ તમામ
કંપનીઓમાં દિલ્હી પાવર લિમિટેડનો 49% હિસ્સો છે. આ ઉપરાંત, લશ્કરી ઇજનેરી સેવાઓ
અને નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન રાજધાની દિલ્હીમાં કેન્ટ વિસ્તારમાં
વીજળીનું વિતરણ ચલાવે છે.