ભારતે રાણાના પ્રત્યર્પણની અપીલ કરી તો તેની ફરી ધરપકડ કરી લીધી
Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 13:29:33
લોસ
એન્જિલસ: મુંબઈમાં 12 વર્ષ પહેલાં
થયેલા આતંકી હુમલાના કાવતરામાં સામેલ પાકિસ્તાની મૂળના તહવ્વુર રાણાની અમેરિકાના
લોસ એન્જિવસમાં ફરી ધરપકડ કરી લેવામાં આવ છે. લશકર-એ-તોઈબાની મદદ કરનાર રાણા ગયા
સપ્તાહે જ જેલમાંથી બહાર આવ્યો હતો. તેને શિકાગોમાં 14 વર્ષની સજા
થઈ છે. પરંતુ કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી અને તબિયત ખરાબ હોવાથી તેને સમય પહેલાં
જ છોડી દેવામાં આવ્યો હતો. ભારત તેના પ્રત્યર્પણવી અપીલ કરી હતી, તેથી તેની
ફરી ધરપકડ કરી લેવામાં આવી.
26/11ના આતંકી
હુમલામાં 166 લોકોના મોત
થયા હતા
26 નવેમ્બર 2008માં મુંબઈમાં લશકર-એ-તોઈબાના 10 આતંકીઓએ
હુમલો કર્યો હતો. આ હુમલામાં 166 લોકોના મોત થયા
હતા અને 300 લોકો ઘાયલ થયા હતા. પોલીસે 9 આતંકીઓને ઠાર કર્યા હતા અને અજમલ કસાબની
ધરપકડ કરી લીધી હતી. અંતે તેને પણ ફાંસી આપવામાં આવી હતી.