પરિવારને ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હોવાની દલીલ
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં પાંચ આતંકી
વડાના બેન્ક ખાતાં ફરી ખોલી દેવાયા છે, જેમાં મુંબઇ હુમલાના આરોપી હાફિઝ સઇદનું ખાતું પણ
સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુએન સિક્યુરિટી કાઉન્સિલની સમિતિની મંજૂરી બાદ આ
પગલું ભરાયું છે. ગયા મહિને એફએટીએફએ આતંકવાદ પર સકંજો કસવામાં નિષ્ફળતા બદલ પાક.ને
ગ્રે લિસ્ટમાં નાખવાનો નિર્ણય લીધો હતો. હવે એ જોવાનું રહેશે કે એફએટીએફની આગામી
બેઠકમાં યુએનએસસી અને પાક.ના આ પગલાં અંગે ચર્ચા થાય છે કે નહીં?
સઇદ
ઉપરાંત જમાત-ઉદ-દાવા,
લશ્કર-એ-તોઇબાના
અબ્દુલ સલામ ભુટ્ટવી,
હાજી
અશરફ, યાહ્યા મુજાહિદ અને જફર
ઇકબાલના બંધ બેંક ખાતાં પણ ચાલુ કરી દેવાયા છે. આ બધા જ યુએનના આતંકીઓના લિસ્ટમાં
સામેલ છે અને ટેરર ફન્ડિંગના કેસમાં 1થી 5 વર્ષની સજા કાપી રહ્યા છે.
રિપોર્ટ્સ
મુજબ, બધાએ યુએનને અપીલ કરી
હતી કે તેમના બેંક ખાતાં ફરી ખોલી દેવાય, જેથી તેમના ઘર ચાલી શકે. કહેવાય છે કે આ બધાએ પાક.
સરકારને તેમની આવકના સ્ત્રોત જણાવ્યા અને પછી તે માહિતી યુએનએસસીને મોકલાઇ હતી.