• Home
  • News
  • શોકિંગ ખુલાસો:બિયોન્સેએ ઘરમાં 80 હજાર મધમાખીઓ પાળી છે, ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે દીકરીની સારવાર માટે આવું કર્યું
post

વોગને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બિયોન્સેએ ઘણી અન્ય વાતો પણ શેર કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-03 11:34:32

પોપ આઇકોન બિયોન્સેએ તેના ઘરમાં 80 હજાર મધમાખીઓ પાળી છે. આનું કારણ તેની દીકરીઓ બ્લુ આઈવી અને રૂમી છે. તે બંનેને એલર્જી છે અને તેનો ઉપચાર માત્ર મધ છે. માટે બિયોન્સેએ તેના ઘરમાં જ બે મધમાખીના ટોપ લગાવ્યા છે જેમાંથી દર વર્ષે ઘણું મધ મળે છે.

શોકિંગ વાત જણાવી
વોગને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બિયોન્સેએ ઘણી અન્ય વાતો પણ શેર કરી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેના વિશેની સૌથી ચોંકાવનારી વાત કઈ હશે તો તેણે મધમાખીઓનો ખુલાસો કર્યો. આ દરમ્યાન તેણે સફળતા પર પણ વાત કરી. તેણે કહ્યું મારી ફિલ્મો, કપડાંની કંપની જ મારા માટે મહત્ત્વના છે.

કમિટમેન્ટ બાબતે સિંગરે કહ્યું
બિયોન્સેએ તેના વર્ક કમિટમેન્ટને લઈને પણ જણાવ્યું. તેણે કહ્યું કે એક વાર કમિટમેન્ટ આપ્યું તો તેના માટે સંપૂર્ણ ડેડિકેશન હોય છે. મારી સાથે રોક કરવા માટે ઘણી ધીરજની જરૂર હોય છે. મારી પ્રોસેસ થકવી દે એવી હોય છે. હું ક્યારેક ફૂટેજની દરેક સેકન્ડની સમીક્ષા કરું છું અને ઘણીવાર ફોરવર્ડ અને બેકવર્ડ કરીને તેની સમીક્ષા કરું છું.

 

adv

Related News

post
post
post
post
post
post
post