જાન્યુઆરી,2011માં સમીર અને નીલે ફૂડ ટ્રેકથી નોન સ્ટોપની શરૂઆત કરી હતી
કોરોનાને લીધે સમગ્ર
વિશ્વના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર થઈ છે. નાના કારોબારીઓને પણ ઘણું નુકસાન થયું
છે. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને આવા જ એક નાના કારોબારી સાથે વાતચીત
કરી અને તેમના બિઝનેસની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. આ દરમિયાન તેમણે
એટલાન્ટામાં એક ભારતીય રેસ્ટોરાં- 'નોન-સ્ટોપ'ના માલિક નીલ અને સમીર
ઈદનાની સાથે વાતચીત કરી. બાઈડને કહ્યું કે જો તેઓ એટલાન્ટા આવશે તો તેમની
રેસ્ટોરાંમાં આવવાનો પ્રયત્ન ચોકક્સપણે કરશે.
કારોબારીએ કહ્યું-
કોરોનાથી કારોબાર ઠપ્પ થઈ ગયો
13 ફેબ્રુઆરીના રોજ વ્હાઈટ હાઉસ તરફથી એક વીડિયો જાહેર
કરવામાં આવ્યો હતો. તેમા બાઈડને નીલ અને સમીર સાથે કોરોનાકાળની સમસ્યાઓ અંગે
માહિતી મેળવતા દેખાયા છે. વાતચીતમાં નીલે જવાબ આપ્યો કે ગયા વર્ષની શરૂઆતથી
મહામારીને લીધે 75 ટકા કારોબાર ઠપ્પ થઈ ગયો. પહેલા તેમણે રેસ્ટોરાંમાં 20-25 કર્મચારી હતા, હવે તે 15થી 20 કર્મચારી રહ્યા છે.
તમામને વેક્સિનેશનથી સ્થિતિ સુધરશે
બાઈડને
વર્તમાન સ્થિતિની સૌથી મોટી જરૂરિયાત અંગે પૂછ્યું. આ અંગે નીલે કહ્યું કે વર્તમાન
સમયમાં સૌથી મોટી જરૂરિયાત વેક્સિનેશન છે. વેક્સિન લગાવ્યા બાદ અગાઉની માફક તમામ
લોકો બહાર નિકળી શકશે. ત્યારે જ નાના કારોબારીઓની સ્થિતિમાં સુધારો થશે.
બાઈડને રેસ્ક્યૂ પ્લાન અંગે
જાહેરાત કરી
બાઈડને
નીલ અને સમીર સાથે વાતચીતમાં નબળા પડી રહેલા અર્થતંત્રનો સામનો કરવા માટે રેસ્ક્યૂ
પ્લાન પણ શેર કર્યો. તેમણે કહ્યું કે નાના કારોબારીઓ માટે 10 અબજ ડોલર (726 અબજ રૂપિયા)થી વધારેની આર્થિક
મદદની યોજના તૈયાર કરવામાં આવી છે. બાઈડને કહ્યું કે વર્તમાન સમયમાં આપણે થોડા
વધારે નહીં, પણ
મહત્તમ રોકાણ કરવાનું રહેશે. અમે તમને તમામ પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવશું, જેથી તમે કોરાના સામે લડવા સાથે
પોતાના બિઝનેસને ફરીથી ઉભો કરી શકો.
10 વર્ષ જૂની છે નોન સ્ટોપ રેસ્ટોરન્ટ
જાન્યુઆરી,2011માં સમીર અને નીલે ફૂડ ટ્રેકથી નોન
સ્ટોપની શરૂઆત કરી હતી. આશરે એક વર્ષ સુધી બન્ને ભાઈ પોતાના દ્વારા તૈયાર કરેલા
ભોજન લોકોને ખવડાવી રહ્યા છે. સપ્ટેમ્બર,2012માં બન્નેએ પહેલી રેસ્ટોરાં એટલાન્ટામાં
ખોલી હતી. ત્યારબાદ વર્ષ 2014માં
બીજી રેસ્ટોરાં ખોલી હતી. આજે તેમની જ્યોર્જિયામાં 3 રેસ્ટોરાં છે.