સોમવારે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના રાજદ્વારીઓ પર હુમલાની ધમકી પર કડક વલણ અપનાવ્યું હતું
કેનેડામાં ભારતીય
રાજદ્વારીઓ પર હુમલાની ધમકી આપતા ખાલિસ્તાન સમર્થકો પર લગામ લગાવવામાં આવશે.
કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ મંગળવારે કહ્યું- અમે પણ વિયેના કન્વેન્શનનો
એક ભાગ છીએ. તેથી ભારતના રાજદ્વારીઓની સુરક્ષાના મામલાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં
આવી રહ્યો છે. આ પછી ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલયે પણ આ જ નિવેદન બહાર પાડ્યું
હતું.
સોમવારે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના રાજદ્વારીઓ પર હુમલાની ધમકી પર કડક વલણ અપનાવ્યું હતું. તેમણે કેનેડા, અમેરિકા અને બ્રિટનને સ્પષ્ટ કહ્યું હતું કે ખાલિસ્તાન સમર્થકોને કોઈપણ પ્રકારની ગેરકાયદે છૂટ આપવામાં ન આવે.
કેનેડા ભારત
સાથે વાત કરી રહ્યું છે
·
સોમવારે, જયશંકરે
કેનેડામાં ખાલિસ્તાનીઓની કાર્યવાહી પર સખત નારાજગી વ્યક્ત કરતી રાજદ્વારી નોંધ
(ડિમાર્ચ) જારી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર ખાલિસ્તાનની
માગ અને આ ગતિવિધિઓને પ્રોત્સાહન આપનારાઓને સહન કરશે નહીં. તેનાથી બંને દેશોના
સંબંધો બગડી શકે છે. આ નિવેદનના થોડા સમય બાદ કેનેડાના વિદેશ મંત્રીએ જયશંકર સાથે
ફોન પર વાતચીત કરી હતી.
·
આ વાતચીત બાદ મંગળવારે મેલાનિયા
જોલીનું નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું- અમે પણ વિયેના સંમેલનનો એક ભાગ છીએ.
તેથી ભારતના રાજદ્વારીઓની સુરક્ષાના મામલાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો
છે. બાદમાં ઓસ્ટ્રેલિયાએ પણ આ જ નિવેદન બહાર પાડ્યું હતું. કહ્યું- અમે ભારતને
ખાતરી આપીએ છીએ કે તેમના રાજદ્વારી કર્મચારીઓને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે..