• Home
  • News
  • નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ કહ્યું- ડોમેસ્ટિક એરલાઈન્સ 60% ફ્લાઈટ શરૂ કરી શકશે
post

દ્વિપક્ષીય એર બબલ કરાર હેઠળ પણ કેટલીક ફ્લાઈટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 12:01:26

ડોમેસ્ટિક એરલાઈન્સ કંપનીઓને મોટી રાહત આપવામાં આવી છે. સરકારે તેમને બુધવારે 60 ટકા ફ્લાઈટ શરૂ કરવા મંજૂરી આપી છે. આ પહેલા 26 જૂને 45 ટકા ફ્લાઈટના સંચાલનની મંજૂરી અપાઈ હતી.

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ હજુ બંધ જ રહેશે. 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટને મંજૂરી અપાઈ હતી પણ 33 ટકા ફ્લાઈટ ચલાવવાને મંજૂરી હતી. હાલમાં ફ્લાઈટમાં સરેરાશ ઓક્યુપન્સી રેટ 50થી 60 ટકા છે. 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ છે. જો કે વંદે ભારત મિશન હેઠળ સ્પેશિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ચાલી રહી છે. સાથે જ દ્વિપક્ષીય એર બબલ કરાર હેઠળ પણ કેટલીક ફ્લાઈટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post