પહેલી સપ્ટેમ્બરથી 6 દિવસમાં કુલ 4,48,845 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યાં, તેની સામે 7,35,952 લોકો ક્વોરન્ટીન થયા
ગુજરાતમાં
કોરોના કાબુમાં લેવાને બદલે કોરોના નાબૂદીનું ખાસ આંકડા અભિયાન શરૂ થયું હોય તેમ
લાગી રહ્યું છે,
કેમકે
રાજ્યમાં કોરોના કેસની સામે રિકવરી રેટ 80%ની આસપાસ અને કેસ 1200ની આજુબાજુ બતાવવામાં
આવી રહ્યા છે. પણ સૌથી મહત્વનું એ છે કે, ગુજરાતમાં (ગઈકાલ) તા,6 સપ્ટેમ્બરના રોજ 7,35,952 લોકો ક્વોરન્ટીન હતા, એટલું જ નહીં તા.1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધીના માત્ર 6 દિવસમાં ક્વોરન્ટીનની
સંખ્યામાં 1,81,267
નો
વધારો થયો છે,
આમ
ગુજરાતમાં આજની તારીખે 7.35
લાખ
ક્વોરન્ટીન છે,
એટલે
કે આ 7.35
લાખ
લોકો સંક્રમિત છે અથવા સંક્રમિતના સંપર્કમાં આવેલા છે.
સતત 6 દિવસથી રોજ 1300થી વધુ કેસ સામે આવ્યાં
ગુજરાત
સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા કોરોનાના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવતા
રાજ્યમાં છેલ્લા 6
દિવસમાં
70 હજારની આસપાસ ટેસ્ટ
કરવામાં આવ્યા છે. જેમાં સતત 6 દિવસથી 1300થી વધુ કેસ આવ્યા છે, જ્યારે સાજા થવાનો દર 80થી 81% સુધીનો રહ્યો છે.
રાજ્યમાં 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધીના ક્વોરન્ટીનના આંકડા
ગુજરાતમાં
1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધીના
ક્વોરન્ટીન થયેલાના સરકારી આંકડા જોવામાં આવે તો 1 સપ્ટેમ્બરના રોજ 5,54,685, 2 સપ્ટે.5,52,772, 3 સપ્ટે.ના રોજ 5,54,774, જ્યારે 4 સપ્ટેમ્બરના રોજ 5,53,061 , 5 સપ્ટેમ્બરના રોજ 5,69,519 અને 6 સપ્ટેમ્બરના દિવસે 7,35,952 લોકો ક્વોરન્ટીન થયેલા
છે. આ જ 6
દિવસ
દરમિયાન કોરોનાના ટેસ્ટ કેટલા થયા એ જોઈએ તો 1 સપ્ટેમ્બરના રોજ 78,070, તા.2 સપ્ટેમ્બરના રોજ 74,523 ટેસ્ટ, તા.3 સપ્ટે.ના દિવસે 75,487,અને 4 સપ્ટે.ના રોજ 75,453, તા.5 સપ્ટેના દિવસે 72,751 અને 6 સપ્ટેમ્બરે 72,561 લોકોના ટેસ્ટ કરવામાં
આવ્યા હતા.