ભારત-ચીન વચ્ચે લદાખમાં તંગદિલીની અસર ઍપ બૅન સહિતના આર્થિક પગલાં બાદ હવે સાંસ્કૃતિક સંબંધો સુધી પહોંચી
Written By newsonline | Ahmedabad | Published: 2020-12-18 12:09:36
ભારત-ચીન વચ્ચે લદાખમાં તંગદિલીની અસર ઍપ બૅન સહિતના આર્થિક પગલાં બાદ હવે સાંસ્કૃતિક સંબંધો સુધી પહોંચી છે. ભારતે ચીન સાથે રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ પર યોજાનારા તમામ 70 આયોજન રદ કરી દીધા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ કલ્ચરલ રિલેશન્સના ડાયરેક્ટર જનરલ દિનેશ પટનાયકે વાતચીતમાં કેન્દ્ર સરકારના આ નિર્ણયની પુષ્ટિ કરતા કહ્યું કે કોરોના તેમ જ ગલવાનની ઘટનાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.