• Home
  • News
  • મૂસેવાલા પંચમહાભૂતમાં વિલીન:પિતાએ પાધડી ઉતારીને લોકોનો આભાર માન્યો; અંતિમ યાત્રામાં ફેન્સનો જમાવડો
post

મૂસેવાલાની રવિવારે સાંજે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-31 18:33:13

માનસા: જાણીતા પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા પંચમહાભૂતમાં વિલીન થયા છે. માનસા જિલ્લાના મૂસાગાંવ સ્થિત તેમના જ ખેતરમાં તેમનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. મૂસેવાલાની અંતિમ યાત્રામાં તેમના ફેન્સ મોટા પ્રમાણમાં ભેગા થયા હતા. તેઓ તેમની છેલ્લી ઝલક જોવા માંગતા હતા. મૂસેવાલાના પિતા બલકૌર સિંહ અને મા ચરણ કૌરે પોતાના સ્ટાર સિંગર પુત્રને વિદાઈ આપવા આવેલા ફેન્સનો હાથ જોડીને ધન્યવાદ માન્યો. પિતાએ પોતાની પાધડી ઉતારીને ફેન્સનો આભાર માન્યો.

સૂત્રોના જણાવ્યા મુજબ, મૂસેવાલાના અંતિમ સંસ્કાર વાળી જગ્યાએ હાલ પંજાબ સરકાર મુર્દાબાદના નારા લાગ્યા હતા. ​​​તેમના ફેન્સ તેમની સિક્યોરિટી હટાવવા અને તેની માહિતી જાહેર કરવાના કારણે સરકારથી નારાજ છે. મૂસેવાલાની અંતિમ યાત્રા તેમના ફેવરેટ 5911 ટ્રેક્ટર પર કાઢવામાં આવી. મૂસેવાલાએ તેના ઘણા પંજાબી ગીતોમાં આ ટ્રેક્ટરનો ઉલ્લેખ કર્યો હતો. તેને મોડીફાઈ કરાવીને ઘરમાં રાખવામાં આવ્યું હતું.

ગેંગસ્ટરોએ 30 રાઉન્ડ ફાયર કર્યા:

ડોક્ટરોને ગોળીઓનાં 24 નિશાન મળ્યાં છે. મૂસેવાલાના ડાબા ફેફસા અને લિવરમાં ગોળી વાગી છે. આ કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સિવાય વધુ લોહી વહી જવાના કારણે પણ તેમનું મોત થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. મૂસેવાલાની રવિવારે સાંજે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post