અમેરિકામાં જ્યાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા ત્યાં રહેતા 50% લોકોના મગજ પર ખરાબ અસર પડી છે
લોકડાઉન જેવા કડક વલણ પછી પણ વિશ્વના મોટાભાગના દેશોમાં
કોરોના વાઇરસના દરરોજ મોટી સંખ્યામાં કેસો ઉમેરાતા જઈ રહ્યા છે. ભારતમાં જ દરરોજ
નવા કેસોની સંખ્યા સાથે નવા-નવા રેકોર્ડ બની રહ્યા છે. કોરોના વાઇરસના કારણે
અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે તો કેટલાય લોકોની નોકરી જતી રહી છે. આ પરિસ્થિતિને
કારણે ઘેરબેઠાં લોકોમાં એકલતા, ખાલીપણું અને ચેપના ડરને કારણે
ડિપ્રેશનની સ્થિતિ ઊભી થઈ છે.
·
વર્ષ 2019ના એક રિપોર્ટ અનુસાર, 7.5% ભારતીયો
માનસિક રોગોથી પીડાઈ રહ્યા છે. તેમાંથી માત્ર 70 ટકા લોકોને
જ સારવાર મળી શકે છે.
·
41% ભારતીયોએ કહ્યું કે, જો તેમની
ઓળખ અથવા તેમના ગ્રૂપમાં કે તેમની વર્કપ્લેસ પર કોઈ વ્યક્તિ બીમાર પડે તો ગભરાટ
અનેકગણો વધી જાય છે.
·
72% ભારતીયોમાં પરિવારના આરોગ્ય વિશે ચિંતા. લોકો કોરોનાસંકટ
દરમિયાન અનિંદ્રા, ઉદાસી અને ડર અનુભવી રહ્યા છે.
·
19% લોકોનું કહેવું હતું કે, આનાથી તેમના
મગજ પર ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે. હોમ ક્વોરન્ટિન અથવા ક્વોરન્ટિન સેન્ટર્સમાં
રાખવામાં આવેલા લોકોની સ્થિતિ વધુ ખરાબ છે.
·
45% પુખ્ત વયના લોકોના એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક રોગચાળાને કારણે તેમના મગજ પર ઘણી નકારાત્મક અસર
પડી રહી છે.
·
અમેરિકામાં
જ્યાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા ત્યાં રહેતા 50% લોકોના મગજ
પર ખરાબ અસર પડી છે.
·
કોરોના
વાયરસના ભયને કારણે 10% થી વધુ લોકો યોગ્ય રીતે ઊંઘ પૂરી નથી કરી શકતા.