ક્રેડિટ-ડેબિટ કાર્ડ મારફતે 18% અને સ્પામ કૉલથી 9% ફ્રોડ થયા
મુંબઇ: દેશમાં એક તરફ યુપીઆઇથી ચુકવણીનું ચલણ વધી રહ્યું છે ત્યારે
બીજી તરફ ડિજિટલ ફ્રોડમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સંબંધિત ફ્રૉડનો
હિસ્સો 55% છે. જ્યારે છેતરપિંડીના કુલ કેસમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સંબંધિત ફ્રોડની
ટકાવારી 18 ટકા છે. જ્યારે ઇન્ટરનેટ બેન્કિંગ મારફતે છેતરપિંડીનો હિસ્સો 12 ટકા અને સ્પામ કૉલથી
થનારી છેતરપિંડીનો હિસ્સો 9 ટકા છે.
ડિજિટલ સોલ્યુશન
પ્લેટફોર્મ બ્યૂરો ઑફ કન્સલટન્સી ફર્મ પ્રેક્સિસના ધ એનેટોમી ઑફ ફ્રોડ નામના
રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. રિપોર્ટ અનુસાર યુપીઆઇ મારફતે થતી છેતરપિંડીના
મોટા ભાગના કેસ 10 હજાર રૂપિયાથી ઓછી રકમના છે. 50% કેસમાં 10 હજારથી ઓછી રકમની
છેતરપિંડી થઇ છે જ્યારે 48%માં 10 હજારથી 1 લાખ રૂપિયા અને માત્ર 2% કેસ એવા છે જેમાં 1 લાખ રૂપિયાથી વધુ રકમની છેતરપિંડી થઇ છે.
2019-20માં જ્યાં નૉન-કેશ
ટ્રાન્ઝેક્શનમાં યુપીઆઇનો હિસ્સો 36% હતો તે 2020-21માં વધીને 44% થયો છે. 2021-22માં નૉન-કેશ
ટ્રાન્ઝેક્શનમાં યુપીઆઇનો હિસ્સો વધીને 57% થયો છે.