26 મેના રોજ મિનેપોલિસમાં અશ્વેત જોર્જ ફ્લોયડનું મોત થયું હતું
વોશિંગ્ટન: અમેરિકામાં અશ્વેત નાગરિક
જોર્જ ફ્લોયડનું પોલીસના હાથે મોત થયાના બનાવમાં સ્થિતિ બગડી રહી છે. 50માંથી 40 રાજ્યોમાં વિરોધ
પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન હિંસા પણ થઈ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ
ફ્લોયડના પરીવાર સાથે વાતચીત કરી ચૂક્યા છે. તંત્રની ચિંતા હવે એ છે કે
પ્રદર્શનકારીઓ વ્હાઈટ હાઉસ સુધી પહોંચી ગયા છે. રવિવાર મોડી રાત્રે પ્રદર્શનકારીઓએ
વ્હાઈટ હાઉસની નજીક રહેલા 200
વર્ષ
જૂના ચર્ચમાં આગ લગાવી દીધી હતી. 1816માં બનેલા આ ચર્ચને ચર્ચ ઓફ
પ્રેસિડેન્ટ્સ પણ કહેવાતું હતું. વ્હાઈટ હાઉસમાં રહેનાર દરેક અમેરિકાના રાષ્ટ્રપતિ
અહીં જતા હતા.
વ્હાઈટ
હાઉસે તેના તમામ કર્મચારીઓને એક ઈ-મેઈલ કર્યો છે. જેમાં કહેવાયું છે કે આવતા-જતા
દરેક કર્મચારીઓ પોતાના આઈકાર્ડને છૂપાવીને રાખે. આવું એટલા માટે કરાયું છે જેનાથી
કર્મચારીઓ પ્રદર્શન કારીઓનો શિકાર ન બની જાય અને કોઈ તેમનો પાસ છીનવી ન લે.