• Home
  • News
  • ગોધરાના ગુમ થયેલા ચાર પટેલ યુવાનોનાં જૂનાગઢ પાસેથી મૃતદેહ મળ્યાં
post

ગોધરા તાલુકાના રામપુરા કાંકણપુર ગામનાં ચાર પટેલ યુવકો સાત ડિસેમ્બરનાં રોજ ઇકો કાર લઇને સૌરાષ્ટ્રનાં પ્રવાસે ગયા હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-10 12:39:08

ગોધરા : ગોધરા તાલુકાના રામપુરા કાંકણપુર ગામનાં ચાર પટેલ યુવકો સાત ડિસેમ્બરનાં રોજ ઇકો કાર લઇને સૌરાષ્ટ્રનાં પ્રવાસે ગયા હતાં. આ લોકો ઘરેથી રાતે આઠ વાગ્યાની આસપાસ નીકળ્યાં હતાં. વિરપુર પહોંચ્યાં હતાં જે બાદ પરિવારને આ લોકોનો સંપર્ક થયો ન હતો. પરિવારને બે દિવસથી યુવાનોનો સંપર્ક ન થતા સૌરાષ્ટ્રની પોલીસની મદદ મેળવી હતી. જેમાં તપાસમાં જાણવા મળ્યું છે કે, ગઇકાલે વહેલી સવારે જૂનાગઠ પાસેની કેનાલમાં કાર ખાબકી ગઇ હતી. જેમાં બે જણનાં મૃતદેહો મળી આવ્યાં હતા. જ્યારે અન્ય બેનાં યુવાનોનાં મૃતદેહ પણ શોધખોળ બાદ મળી ગયા છે.

પાટીદાર સમાજનાં અગ્રણી, ડૉ. સુરેશ પટેલે આ ઘટના અંગે તેમણે કહ્યું કે, 'એક નદીમાંથી શંકા જતા તપાસ કરતા બે યુવાનોનાં મૃતદેહ મળી આવ્યાં છે. અન્ય બે જણની શોધખોળ ચાલુ છે. તેમની હાલ કોઇ ભાળ મળી નથી.'કેશોદનાં ડીવાયએસપી, જે.વી ગઢવીએ આ અંગે જણાવતા કહ્યું કે, 'મહમદપુરાગામનાં પુલિયામાં ગઇકાલે સવારનાં પાંચ કલાકની આસપાસ તેઓ જ્યારે જૂનાગઢથી આવતા હતા ત્યારે તેમની ગાડી આ પુલિયામાં ઉતરી ગઇ છે. આ અંગે તપાસ ચાલુ છે.'મહત્વનું છે કે, આ યુવાનોનો કોન્ટેક ન થતા પરિવારજનોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતાં. જેથી પરિવારજનોએ કાંકણપુર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post