ઘઉંના ઊંચા ભાવને કારણે લોટ, સોજી અને મેદાના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા મહિનામાં કિંમતોમાં લગભગ 15 થી 20 ટકાનો વધારો થયો છે. મિલ માલિકોને આશા હતી કે સરકાર ઘઉંની હરાજી ખુલ્લા બજારમાં કરશે, પરંતુ હજુ સુધી એવું થયું નથી. આવી સ્થિતિમાં મિલ માલિકોએ પણ મોંઘા ભાવે ઘઉં ખરીદવાનું શરૂ કર્યું છે. જેના કારણે લોટના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
નવી દિલ્લી: સરકારે ઘઉંની નિકાસ પર પહેલેથી જ પ્રતિબંધ મૂક્યો છે. આમ
છતાં ભાવ ન ઘટતાં લોટની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પરંતુ હજુ પણ ઘઉંના
ભાવ આસમાને છે. માત્ર જાન્યુઆરી 2023માં જ
ઘઉંના ભાવમાં લગભગ 7 થી 10 ટકાનો
વધારો નોંધાયો છે. સરકારે આ વર્ષે એમએસપી 2,125 રૂપિયા
પ્રતિ ક્વિન્ટલ રાખી છે, પરંતુ હાલમાં જથ્થાબંધ બજારમાં ઘઉં 3,100
રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાઈ રહ્યા છે. આવી
સ્થિતિમાં જો સરકાર આ પગલું નહીં ભરે તો આગામી દિવસોમાં લોટ વધુ મોંઘો થવાનો છે.
એક વર્ષમાં માત્ર લોટ 40% મોંઘો થયો છે અને જો તેમાં રોટલી બનાવવાની
કિંમત પણ ઉમેરવામાં આવે તો રોટલીની કિંમત લગભગ 50% વધી ગઈ
છે.
એક
મહિનામાં ભાવમાં 20 ટકાનો
વધારો થયો છે-
ઘઉંના ઊંચા ભાવને કારણે લોટ, સોજી અને
મેદાના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા મહિનામાં કિંમતોમાં લગભગ 15 થી 20 ટકાનો
વધારો થયો છે. મિલ માલિકોને આશા હતી કે સરકાર ઘઉંની હરાજી ખુલ્લા બજારમાં કરશે, પરંતુ
હજુ સુધી એવું થયું નથી. આવી સ્થિતિમાં મિલ માલિકોએ પણ મોંઘા ભાવે ઘઉં ખરીદવાનું
શરૂ કર્યું છે. જેના કારણે લોટના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
બફર
સ્ટોકમાં ઘઉંનો ઘણો જથ્થો-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં
સરકારી ગોડાઉનોમાં લગભગ 115 લાખ ટન ઘઉં છે. બફર સ્ટોક મર્યાદા 74 લાખ ટન
છે. આવી સ્થિતિમાં આ 41 લાખ ટન ઘઉં વધુ છે. જો સરકાર આ યોજના હેઠળ
15 દિવસમાં આ ઘઉં ખુલ્લા બજારમાં વેચે તો
ઘઉંના ભાવ સ્થિર થઈ શકે છે. બીજી તરફ જો ઘઉં બજારમાં નહીં આવે તો લોટના ભાવમાં 5 થી 6 ટકાનો
વધારો થઈ શકે છે.
એપ્રિલમાં
ઘટી શકે છે ભાવ-
ઘઉંનો નવો સ્ટોક માર્ચ-એપ્રિલમાં બજારમાં આવશે. આવી સ્થિતિમાં
તે પછી ઘઉંના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. જો કે, જો
સરકાર આ પહેલાં તેનો સ્ટોક વેચે તો પણ તેની કિંમતો ઘટવા લાગશે.