છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ 1 લાખ 26 હજારથી વધુ લોકો પોઝિટિવ મળી આવ્યા હતા
દેશભરમાં કોરોનાથી પરિસ્થિતી વધુ ખરાબ થઈ રહી છે. બુધવારે
દેશમાં રેકોર્ડ 1 લાખ 26 હજાર 265 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. ગયા
વર્ષે મહામારી શરૂ થઇ ત્યારબાદ આ પહેલી વાર છે જ્યારે એક જ દિવસમાં આટલી મોટી
સંખ્યામાં પોઝિટિવ નોંધાયા છે. આ અગાઉ 6 એપ્રિલના રોજ એક જ દિવસમાં 1.15 લાખ લોકોને કોરોના પોઝિટિવ મળ્યાં
હતાં.
આ ઉપરાંત બુધવારે 684 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં અને 59 હજાર 129 લોકો સાજા થયા હતા. આ સાથે, હવે કોરોના સંક્રમિતોની સંખ્યા 1.29 લાખને પાર થઈ ગઈ છે. તેમાંથી 1.18 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 1.66 લાખ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 9 લાખ 5 હજાર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
માત્ર કોરોનાને વેક્સિનેશનથી
અટકાવી શકાય છે
ડિપાર્ટમેન્ટ
ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST)ના સચિવ અને દેશના સૌથી મોટા વૈજ્ઞાનિક પ્રો. આશુતોષ શર્માએ
કહ્યું છે કે કોરોનાના આ તબક્કાની ઝડપ પહેલા કરતા ઘણી વધારે છે. આનો અર્થ એ છે કે
આ તબક્કામાં લોકોમાં સંક્રમણ ખૂબ જ વધુ ઝડપથી ફેલાય છે. આને રોકવા માટે, ફક્ત મોટા પાયે વેક્સિનેશન જ
અસરકારક રહેશે. દેશની મોટાભાગની વસ્તીમાં વેક્સિનેશન પછીસંક્રમણની અસર ઓછી થવા
લાગશે.
વડાપ્રધાને વેક્સિનનો બીજો ડોઝ
મુકાવ્યો
આ
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો. એઇમ્સ નવી
દિલ્હીમાં વહેલી સવારે, તેમણે
કોવેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. પહેલો ડોઝ 1 માર્ચે મુકાયો હતો. સોશિયલ
મીડિયાપર ફોટો શેર કરતી વખતે તેમણે અન્ય લોકોને પણ વેક્સિન લેવાની અપીલ કરી. તેમણે
લખ્યું, 'વેક્સિનેશન
એ કેટલીક રીતોમાંનું એક છે જેના દ્વારા કોરોનાને પરાજિત કરી શકાય છે. તેથી જો તમે
વેક્સિન લેવા માટેની પાત્રતા પૂર્ણ કરો છો, તો તરત જ વેક્સિન મુકાવો.
કોરોના અપડેટ્સ
·
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગુરુવારથી નાઇટ કર્ફ્યુ લાગુ
કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે રાત્રે 10 થી સવારે 8 વાગ્યા સુધી કોઈ પણ જરૂરી કામ સિવાય
બહાર નીકળી શકાશે નહીં. IIT રૂડકીના
60 વિદ્યાર્થીઓ-સ્ટાફ
કોરોના પોઝિટિવ આવ્યો છે. આ પછી, સંસ્થાએ 5 હોસ્ટેલ સીલ કરી દીધી છે.
·
મુંબઇમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે એક નવું સંકટ સામે
આવ્યું છે. અહીં વેક્સિન લગભગ પૂરી થઈ ગઈ છે. મેયર કિશોરી પેડનેકરે કહ્યું- મુંબઈમાં
વેક્સિનનો સ્ટોક લગભગ સમાપ્ત થવાની આરે છે.
·
અમે તમામ સરકારી હોસ્પિટલોને વેક્સિનનાં બધા ડોઝ આપી દીધા
છે. અમારી પાસે હવે માત્ર એક લાખ કોવેક્સિન બાકી રહી છે. અમે આ અંગે આરોગ્ય પ્રધાન
રાજેશ ટોપે જીને પણ જાણ કરી છે.
·
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને કહ્યું કે જે રાજ્યો
વેક્સિનની ઉણપ વિશે વાત કરી રહ્યા છે અને તેઓ 18 થી 20 વર્ષની વયના લોકોને વેક્સિન
અપાવવાની માંગ કરી રહ્યા છે. તેઓ રાજકીય રીતે લોકોને ડરાવી રહ્યા છે. હવે આ
વેક્સિન ફક્ત તેમને જ આપવામાં આવશે જેમને તેની સૌથી વધુ જરૂર છે.
·
ઉત્તરપ્રદેશમાં કોરોના બેકાબૂ બની રહી છે. લખનૌની કિંગ
જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)ના કુલપતિ સહિત 38 ડોકટરો અને 3 આરોગ્ય કાર્યકરો કોરોનાથી સંક્રમિત
થયા છે. તમામને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા હતા. KGMUના પ્રવક્તા ડો.સુધીર કુમારે
જણાવ્યું હતું કે વાઇસ ચાન્સેલર લેફ્ટનન્ટ જનરલ ડો.બીપીન પુરીને બીજી વાર સંક્રમણ
લાગ્યું છે. તેઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. તેમને તાવની ફરિયાદ છે.
·
પંજાબ સરકારે 30 એપ્રિલ સુધી રાજ્યમાં નાઇટ કર્ફ્યુ
લગાવી દીધો છે. લોકો કોઈપણ જરૂરી કામ કર્યા વગર રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી ઘર બહાર નીકળી શકશે
નહીં. સરકાર દ્વારા કોઈપણ પ્રકારના કાર્યક્રમો ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યું કે નિયમોના ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી
પણ કરવામાં આવશે.
·
મધ્યપ્રદેશ સરકારે છત્તીસગઢ માટેબસ સેવા 15 એપ્રિલ સુધી બંધ કરી દીધી છે.
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં
રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી
એઇમ્સે 8 એપ્રિલથી
કાયમી ધોરણે ઓપીડી બંધ કરી દીધી છે. એટલે કે, દર્દીઓ હવે સીધા ચેકઅપ માટે પહોંચી
શકશે નહીં.
·
ઉત્તરાખંડની દહેરાદૂનની દૂન સ્કૂલમાં 7 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
છે. તેમણે ક્વોરંટાઈન કરવામાં આવ્યા છે.
·
મુખ્ય રાજયોની પરિસ્થિતી
·
1. મહારાષ્ટ્ર
બુધવારે
અહીં 59,907 નવા
દર્દીઓ મળી આવ્યા હતા. 30,296 દર્દીઓ
સાજા થયા અને 322 મૃત્યુ
પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 31.73 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી
ચૂક્યા છે. આ લોકોમાંથી 26.13 લાખ
લોકો સાજા થયા છે, જ્યારે
56,652 લોકો
મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 5.01 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી
છે.
·
2. દિલ્હી
બુધવારે
5,506 નવા
કેસ આવ્યા હતા. 3,363 દર્દીઓ
સાજા થયા અને 20 લોકોનાં
મોત થયા હતા. અહીં અત્યાર સુધીમાં 6.90 લાખ લોકોને સંક્રમણની અસર થઈ છે, 6.59 લાખ લોકો સાજા થયા છે અને 11,133 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં 19,455 લોકોની સારવાર ચાલી રહી છે.
·
3. મધ્યપ્રદેશ
બુધવારે
અહીં 4,043 નવા
દર્દીઓ મળી આવ્યા હતા. 2,126 લોકો
સાજા થયા, જ્યારે
13 લોકોનાં
મોત થયાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.18 લાખ લોકો સંક્રમણ ની ઝપેટમાં આવી
ચૂક્યા છે. તેમાંથી 2.87 લાખ
લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે
4,086 લોકો
મૃત્યુ પામ્યા છે. હાલમાં, 26,059 લોકો
સારવાર લઈ રહ્યા છે.
·
4. ગુજરાત
અહીં
બુધવારે કોરોનાના 3,575 નવા
દર્દીઓ મળી આવ્યા હતા. 2,217 દર્દીઓ
સાજા થયા, જ્યારે
22 લોકોનાં
મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.28 લાખ લોકોને સંક્રમણથી અસર થઈ છે.
આમાંથી 5.55 લાખ
સાજા થયા છે, જ્યારે
4,620 દર્દીઓ
મૃત્યુ પામ્યા છે અને હાલમાં 18,684 લોકો સારવાર લઈ રહ્યા છે.
·
5. પંજાબ
બુધવારે
અહીં 2,997 નવા
દર્દીઓ મળી આવ્યા હતા. 2,959 સાજા
થયા, જ્યારે
63 મૃત્યુ
પામ્યા રાજ્યમાં અત્યાર સુધીમાં 2.60 લાખ લોકો આ સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 2.26 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 7,278લોકોના મોત થયા છે. હાલમાં 25,855 લોકો સારવાર લઈ રહ્યા છે.
·
6. રાજસ્થાન
અહીં
બુધવારે, 2,801 પોઝિટિવ
લોકોની ઓળખ કરવામાં આવી હતી. 851 દર્દીઓ સાજા થયા અને 12 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં
અત્યાર સુધીમાં લગભગ 3.46 લાખ
દર્દીઓ સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 3.46 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 2,866 પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
હાલમાં 18,146 દર્દીઓ
સારવાર લઈ રહ્યા છે.