ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસરીએ ગલવાન વેલી પરના ચીનના દાવાને નકારી દીધો
Written By newsonline | Ahmedabad | Published: 2020-06-27 10:24:20
નવી દિલ્હી: ભારતે ચીનને ચેતવણી આપી
છે કે જો સરહદ પર સૈન્ય વધારવાના પ્રયત્નો કર્યા તો માત્ર શાંતિ પ્રક્રિયાને અસર
નહીં થાય, પણ દ્વિપક્ષીય સંબંધોને
પણ નુકસાન થઈ શકે છે. પૂર્વી લદ્દાખમાં ચીનને તેની પ્રવૃત્તિઓ બંધ કરવાનું
કહેવામાં આવ્યું છે. ચીનમાં ભારતના રાજદૂત
વિક્રમ મિસરીએ શુક્રવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં આ વાત કહી હતી.