લાલજી ટંડનના નિધનની માહિતી તેમના દિકરા આશુતોષે ટ્વિટ કરીને આપી, આજે લખનઉમાં અંતિમ સંસ્કાર કરાશે
Written By newsonline | Ahmedabad | Published: 2020-07-21 09:20:38
લખનઉ: મધ્ય પ્રદેશના
રાજ્યપાલ લાલજી ટંડનનું મંગળવારે સવારે 5.30 વાગે
નિધન થયું છે. ટંડનને 11 જૂનથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને
તાવ આવતો હોવાના કારણે લખનઉની મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સોમવારે સાંજે હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં તેમની સ્થિતિ
ક્રિટિકલ જણાવવામાં આવી હતી. આજે સાંજે 4.30 વાગે
તેમના લખનઉમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.