રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવનો વિચાર વડાપ્રધાન મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાંથી આવ્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા
રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવને સંબોધન કર્યું છે. તેમણે કહ્યું કે સ્વામી
વિવેકાનંદની આ જન્મજયંતિનો દિવસ આપણા બધાને પ્રેરણા આપે છે. તે આ વખતે એટલા માટે
વિશેષ બન્યું છે કારણ કે આ વખતે યુવા સંસદ,સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયો છે.
આ સભાખંડમાં આપણી સ્વતંત્રતાના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે તમારા મનમાં કલ્પના કરો, તમે તે સ્થળે બેઠા છો જ્યાં દેશના
મહાન માણસો બેઠા હતા. તમને દેશથી કેટલી અપેક્ષાઓ છે. મને લાગે છે કે અહીં બેઠેલા
યુવાન સાથીઓએ આ અનુભૂતિ થઈ રહી હશે. જ્યારે હું તમને સાંભળી રહ્યો હતો ત્યારે વિચાર
આવ્યો કે તમારું ભાષણ હું મારા ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીશ જેથી દેશને ખબર પડે કે
સંસદના આ પરિસરમાં આપણું ભાવિ ભારત કેવું આકાર લઈ રહ્યું છે. મારા માટે તે છે તે
ખૂબ ગૌરવની વાત હશે.
'વિવેકાનંદજીનું ચિંતન આપણી
ભાવનાઓમાં '
વડાપ્રધાને
કહ્યું કે સમય પસાર થતો ગયો, દેશ આઝાદ થઇ ગયો, પરંતુ આપણે હજી પણ જોયું છે કે
સ્વામીજી આપણી વચ્ચે જ છે. દરેક ક્ષણ પ્રેરણા આપી રહ્યા છે. તેની વિચારસરણી આપણી
ભાવનામાં પ્રતિબિંબિત થાય છે. રાષ્ટ્રેને લઈને તેમણે જે કર્યું, જન સેવાથી જગતની સેવાનો ભાવ આપણા
મન મંદિરમાં છે.
મને વિશ્વાસ છે કે જો તમે પણ એક યુવાન સાથી તરીકે
વિવેકાનંદની તસવીર જોતાં હશો, તો તમારું મન શ્રદ્ધા ભાવથી ઝૂકતું હશે. સ્વામીજીએ વધુ એક
ભેટ આપી છે. વ્યક્તિઓના નિર્માણની, સંસ્થાઓના નિર્માણની. જો આપણે
અભ્યાસ કરીએ તો સ્વામી વિવેકાનંદે આવી સંસ્થાઓને આગળ વધારી છે જે વ્યક્તિઓનું
નિર્માણ આજે પણ કરી રહી છે. વધુ અપડેટ કરી રહ્યા છીએ...