લોકસભામાં બીજેપી પાસે પહેલાથી કોઈ મુસ્લિમ સાંસદ નથી
નવી દિલ્હી: રાજ્યસભાની ચૂંટણી 10 જૂને 15 રાજ્યોમાં રાજ્યસભાની કુલ 57 બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી
છે. આ તમામ બેઠકો માટેના સભ્યોનો કાર્યકાળ જૂન અને ઓગસ્ટ વચ્ચે પૂરો થવાનો છે. તે
જ સમયે, નામાંકન
માટેની છેલ્લી તારીખ 31 મે
છે. ભાજપ, કોંગ્રેસ
અને અન્ય પક્ષોએ 22 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પરંતુ આમાંથી એકપણ ઉમેદવારનો
મુસ્લિમ ચહેરો જોવા નહી મળે.
ભાજપ પાર્ટીએ ત્રણ મુસ્લિમ
સાંસદોને રાજ્યસભામાં મોકલ્યા હતા, જે મુખ્તાર અબ્બાસ નકવી, સૈયદ ઝફર ઈસ્લામ અને એમજે અકબર છે.
પરંતુ આ ત્રણેયનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને ત્રણેય મુસ્લિમ સાંસદોને ફરીથી
નોમિનેટ પણ કરવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં બીજેપી તરફથી કોઈ મુસ્લિમ ચહેરો
રાજ્યસભામાં આવવાનો નથી.
મુખ્તાર અબ્બાસ નકવીનો રાજ્યસભાનો
કાર્યકાળ 7 જુલાઈએ
પૂરો થઈ રહ્યો છે. જો મુખ્તાર અબ્બાસ નકવી છ મહિનામાં સાંસદ નહીં બને તો તેમનું
મંત્રી પદ જવાનું નિશ્ચિત છે. રામપુર લોકસભા પેટાચૂંટણીમાં તેમને બીજેપીના ઉમેદવાર
બનાવવામાં આવી શકે છે.
બીજી તરફ, સૈયદ ઝફર ઇસ્લામનો કાર્યકાળ 4 જુલાઈએ અને MJ અકબરનો કાર્યકાળ 29 જૂને પૂરો થવા જઇ રહ્યો છે, હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા
નોમિનેશનની શ્રેણીમાં સાત બેઠકો ખાલી છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું ભાજપ
ઉમેદવારી દ્વારા પ્રબુદ્ધ મુસ્લિમને રાજ્યસભામાં લાવશે?
લોકસભામાં બીજેપી પાસે પહેલાથી કોઈ
મુસ્લિમ સાંસદ નથી. 2019ની
લોકસભા ચૂંટણીમાં ભાજપે છ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ બધા
હાર્યા હતા. nda પાસે માત્ર એક મુસ્લિમ સાંસદ છે. જ્યારે મહેબૂબ અલી કૌસર ખાગરિયાથી
એલજેપીની ટિકિટ પર જીતીને આવ્યા છે.