ઝાયરા વસીમ અને સનાએ એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો છે. બંને એક્ટ્રેસે પોતાના ધાર્મિક વિશ્વાસ માટે એક્ટિંગ છોડી દેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે વધુ એક એક્ટ્રેસે ધર્મ માટે એક્ટિંગની દુનિયાને અલવિદા કરી દીધું છે.
નવી દિલ્લીઃ ઝાયરા વસીમ
અને સનાએ એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો છે. બંને એક્ટ્રેસે પોતાના ધાર્મિક વિશ્વાસ
માટે એક્ટિંગ છોડી દેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે વધુ એક એક્ટ્રેસે ધર્મ માટે
એક્ટિંગની દુનિયાને અલવિદા કરી દીધું છે. જણાવી દઈએ તે, ટીવી
ઈન્ડસ્ટ્રીઝની મશહૂર એક્ટ્રેસ અનધા ભોંસલેએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક
પોસ્ટ શેર કરી અને હંમેશા માટે એક્ટિંગ છોડવાનું એલાન કર્યું છે.
અનધા ભોંસલે ચર્ચિંત સિરિયલ અનુપમામાં કામ કરી ચૂકી છે. અનધાએ ઈન્સ્ટાગ્રામ પર
કરેલી એક પોસ્ટમાં કહ્યું કે, તે ઓફિશિયલી ફિલ્મ અને ટેલિવિઝન
ઈન્ડસ્ટ્રીઝને છોડી રહી છે. અનધાએ લખ્યું કે, તેને આ
નિર્ણય પોતાના ધાર્મિક વિશ્વાસ અને આધ્યમિકતા માટે લીધો છે. તેમણે વધુમાં લખ્યું
કે, જે લોકો અથવા પરિસ્થિતિ તમારા ભગવાનથી દૂર કરે તેમનાથી તમારે દૂરી બનાવી લેવી
જોઈએ.
અનધા ભોંસલેએ લખ્યું કે, મારો વિશ્વાસ છે કે, તમામ
ભગવાનના સંતાન છે. અને લોકો વિભિન્ન માર્ગમાંથી એક જ
લક્ષ્ય મેળવે છે. ભગવાનમાં વિશ્વાસ રાખો. આ આપણી જવાબદારી છે કે, આપણે આપણા
જન્મનું સાચું કારણે શોધીએ. અનધાએ વધુમાં લખ્યું કે, તે જે
ક્ષેત્રમાં કામ કરી રહી હતી ત્યાં તેમને એ બનાવવાની કોશિશ કરવામાં આવે છે જે તમે
હોતા જ નથી. જો તમારે પણ આ સવાલનો જવાબ જોઈએ છે તો શ્રીમદ ભાગવત ગીતા વાંચવી જોઈએ. જણાવી દઈએ
કે, અનધા ભોંસલે ટીવી સિરીયલ અનુપમામાં નંદિનીનો રોલ નિભાવી રહી હતી.