• Home
  • News
  • ફર્ટિલાઇઝર પર સબ્સિડી અને 100 સૈનિક સ્કૂલોને મોદી કેબિનેટની મંજૂરી
post

Cabinet Meeting: કેન્દ્રીય કેબિનેટે આજે ફોસ્ફેટ, પોટાશ ખાતર (ફર્ટિલાઇઝર) માટે 28655 કરોડ રૂપિયાની સબ્સિડીને મંજૂરી આપી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-13 10:29:29

નવી દિલ્હીઃ Cabinet Meeting: પ્રધાનમંત્રી આવાસ પર થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંત્રીમંડળે ફર્ટિલાઇઝર પર સબ્સિડી આપવાના નિર્ણય પર મહોર લગાવી છે. આ બેઠકમાં કેબિનેટે સૈનિક સ્કૂલ સોસાયટી અંતર્ગત 100 ખાનગી અને સરકારી સૈનિક સ્કૂલોને માન્યતા આપવાને પણ મંજૂરી આપી છે. આ સિવાય કેબિનેટ તરફથી અટલ નવીકરણ અને શહેરી પરિવર્તન મિશન 2. 0 (Atal Mission for Rejuvenation and Urban Transformation- AMRUT 2.0) ને પણ મંજૂરી મળી ગઈ છે. 

કેન્દ્રીય મંત્રીમંડળે આજે ફોસ્ફેટ, પોટાશ ખાતરો (ફર્ટિલાઇઝર) માટે 28655 કરોડ રૂપિયાની વધારાની સબ્સિડીને મંજૂરી આપી છે. આ સબ્સિડી 1 ઓક્ટોબર 2021થી 31 માર્ચ 2022 સુધી લાગૂ રહેશે. 

પાછલી કેબિનેટમાં લેવાયા હતા આ નિર્ણયો
આ મહિને 6 ઓક્ટોબરના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કેબિનેટે નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પગાર જેટલું ઉત્પાદકતા આધારિત બોનસ મંજૂર કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે આનાથી લગભગ 11.56 લાખ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને ફાયદો થશે.

તેમણે કહ્યું હતું કે કેબિનેટની બેઠકમાં બે વિભાગો અંગે નિર્ણયો લેવામાં આવ્યા હતા. વર્ષોથી, ઉત્પાદકતા લિંક બોનસ રેલવેના નોન-ગેઝેટેડ કર્મચારીઓને ઉપલબ્ધ છે. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે પણ રેલવેના નોન-ગેઝેટેડ કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post