યોજનામાં ફેરફાર કરવાથી લોકોના મનમાં વડાપ્રધાન પ્રત્યેનો આદર ઓછો થતો નથી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ફરી એકવાર બંગાળના
પ્રવાસે છે. પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં તેમણે એક મુઠ્ઠી ચોખા અભિયાનની શરૂઆત કરાવી
હતી. આ અભિયાન દ્વારા ભાજપ રાજ્યના લગભગ 73 લાખ ખેડૂત સાથે જોડવાનું લક્ષ્યાંક
છે.
નડ્ડાએ આ અવસરે ભ્રષ્ટાચાર મામલે CM મમતા બેનર્જી સરકારની ઝાટકણી કાઢી
હતી. તેમણે કહ્યું - મમતાના રાજમાં અંતિમ સંસ્કાર માટે રૂપિયા ચૂકવવા પડી રહ્યા
છે.
નડ્ડાના સંબોધનની મહત્વની વાતો
·
આ પ્રસંગે સભામાં સંબોધન કરતાં નડ્ડાએ કહ્યું હતું કે, મને આને અહીંયા આવવાથી ખૂબ જ ખુશી
થઈ રહી છે, જ્યાં
સ્વામિ વિવેકાનંદનો ઉછેર થયો હતો. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે અહીં દેશને એક નવી
દ્રષ્ટિ આપી હતી. શ્યામાપ્રસાદ મુખર્જીએ એક દેશ અને એક વિધાન માટે પોતાનો જીવ
આપ્યો. તે મંદિરમાં પણ ગયા, જ્યાં
ચૈતન્ય મહાપ્રભુએ દીક્ષા લીધી હતી.
·
આજે જ્યારે હું આવી રહ્યો હતો ત્યારે મેં જોયું કે તમે કેવી
રીતે મોટી સંખ્યામાં અહીં આવ્યા છો. તે બતાવે છે કે મમતાનું જવાનું નિશ્ચિત છે અને
ભાજપનું આવવાનું નક્કી છે. તાલીઓનો અવાજ બતાવે છે કે બંગાળના લોકોએ ભાજપને
આવકારવાનું મન બનાવી લીધું છે.
·
આજથી લઈને 24 તારીખ સુધી કાર્યકરો 40 હજાર ગ્રામ પંચાયતોમાં જશે અને
સૌગંધ લેશે કે ખેડુતોની લડત ભાજપના કાર્યકરો લડશે. અમે ગામે-ગામમાં ખેડુતો સાથે
ભોજન પછી, તેઓ
નિર્ણય લઈશું કે તેમની સાથે થતા અન્યાય સામે અવાજ ઉઠાવીશું અને આગામી સરકાર માટેનો
માર્ગ સાફ કરીશું. અહીંથી અવાજ લગાવીશું- મોદીજી આગળ વધો, ખેડૂત તમારી સાથે છે.
·
મમતાની સરકાર અને યુપીએ સરકારમાં, ખેડૂતો માટેનું બજેટ 24 હજાર કરોડ હતું, અમે તેને વધારીને એક લાખ કરોડ
કર્યું. MSP માટે
સ્વામિનાથન કમિશનના રિપોર્ટને અમલમાં મૂક્યો અને તેનો ખર્ચ દોઢ ગણો કર્યો.
·
સાંભળ્યું છે કે મમતાજીએ વડાપ્રધાનને કિસાન સન્માન નિધિ
માટે પત્ર લખ્યો છે. હું તેમને કહેવા માંગુ છું કે અમારી સરકાર બનશે અને ખેડૂતોને
કિસાન સન્માન નિધિ અમે આપીશું. મમતાજી તમારી જમીન ખસી ચૂકી છે, પક્ષીઓ ખેતર ચણી ચૂક્યા છે.
·
ત્રણ કૃષિ કાયદા ખેડૂતોને આઝાદી આપે છે. તેના દ્વારા ખેડૂત
જાતે જ કરાર કઋ શકે છે. બંગાળના ખેડૂતો 29 રાજ્યોમાં 24મા ક્રમે છે. આ કામ મમતાજીની
સરકારે કર્યું છે. બંગાળમાં પાણીની અછત નથી, પરંતુ અહીંની અડધી જમીન સિચાઈ
વિનાની છે. મમતાની સરકાર બદલવા માટે આપણે એક સાથે જોડાવું પડશે.
·
TMC એટલે
તાડપત્રી ચોર. ચિટ ફંડ, નારદા, સારાદા ઘણા કૌભાંડો આચરવામાં
આવ્યા. નવા રાજકુમારો અહીં દેખાય છે. પરંતુ જનતા દરેકને યોગ્ય જવાબ આપશે. મમતા
દરેક વાતમાં બોલે છે- હોબે ન. હવે ભાજપની સરકાર આબે.
·
યોજનામાં ફેરફાર કરવાથી લોકોના મનમાં વડાપ્રધાન પ્રત્યેનો
આદર ઓછો થતો નથી. મોદીજી બંગાળના વિકાસ માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી ગ્રામીણ માર્ગ યોજનાનું નામ બદલીને બંગાળ માર્ગ યોજના રાખવામાં
આવ્યું. મમતાજી કહેતા હતા કે આપણે મા, માટી, માનુષ માટે કામ કરી રહ્યા છીએ, પરંતુ તેઓ તોલાબાજી, સરમુખત્યારશાહી અને તૃપ્તિકારણ
માટે કામ કરી રહી છે. તેના શાસનમાં અંતિમ સંસ્કાર માટે રૂપિયા ચૂકવવા પડી રહ્યા
છે.
નડ્ડા સૌપ્રથમ બર્ધમાનના પ્રખ્યાત શ્રીરાધા ગોવિંદ મંદિરમાં
પૂજા કરી હતી. ત્યાર બાદ તેઓ પાર્ટીની કોર કમિટી સાથે બેઠક પણ કરશે. વિધાનસભાની
ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી આખા રાજ્યમાં આવી ચાલીસ હજાર સભા યોજશે.
ગત પ્રવાસમાં કાફલા પર હુમલો થયો
હતો
ગયા
મહિનામાં નડ્ડાએ બંગાળની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમના કાફલા પર હુમલો થયો
હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના
સમર્થકો પર હુમલાના આરોપ લાગ્યા હતા. હુમલાને કારણે બંગાળના રાજકારણમાં ગરમાવો આવી
ગયો હતો. આને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે તણાવ વધ્યો હતો. આ પ્રવાસના
થોડા દિવસો બાદ નડ્ડા કોરોના પોઝિટિવ થયા હતા.