• Home
  • News
  • 'હવે ભારત લાફો ખાઈને બીજો ગાલ આગળ નહીં કરે', જાણો વિદેશમંત્રી જયશંકર શા માટે આવું બોલ્યા
post

આતંકવાદને ગેરકાયદેસર જાહેર કરવો જોઈએ : એસ જયશંકર

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-23 19:13:42

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ગત ગુરુવારના રોજ આતંકવાદીઓ દ્વારા સેનાના વાહનો પર અચાનક હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ચાર જવાનોના શહીદ થયા બાદ નિવેદન આપતા વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે કહ્યું કે, ભારત હવે થપ્પડ ખાઈને કોઈની આગળ બીજો ગાલ નહી ધરે. સીમા પર આતંકવાદ મુદ્દે જડબાતોડ જવાબ આપતાં કહ્યું હતું કે, ભારત છેલ્લા 10 વર્ષથી બદલો ચુકવી રહ્યું છે, પરંતુ હવે ઈંટનો જવાબ પથ્થરથી આપવાની નીતિ અપનાવાશે. મીડિયાને સંબોધતા તેમણે કહ્યુ કે, આતંકવાદ ભારતની આઝાદીના સમયથી શરુ થયો હતો, જ્યારે એ હુમલાખોરો પાકિસ્તાનથી આવ્યા હતા. પહેલા જ દિવસથી આપણે આતંકવાદનો સામનો કરી રહ્યા છીએ. અને તેના વિશે આપણે કેટલીક બાબતોમાં સ્પષ્ટ થવુ પડશે, કારણ કે જે વસ્તુને તમે નથી સમજતા, તેનો જવાબ નથી આપી શકતા. 

હવે ઈંટનો જવાબ પથ્થરથી આપશે ભારત

જયશંકરે કહ્યુ કે, મને લાગે છે કે આજે દેશમાં જે બદલાયું છે, તે ખાસ કરીને મુંબઈ પર  26/11ના ભયાનક આતંકવાદી હુમલો મારા માટે એક ટર્નિંગ પોઈન્ટ હતો. 26/11 ના નગ્ન સત્ય, તેની ભયાનક અસરને જોતા પહેલા ઘણા લોકો ભ્રમમાં હતા. તેમણે કહ્યુ કે, હવે કોઈ એક ગાલ પર  થપ્પડ મારે તો બીજો ગાલ ધરવાની નીતિ હવે નથી રહી. 

સરહદ પર કોઈ આતંદવાદ કરી રહ્યું હોય, તો જવાબ આપવો જ પડશે

તેમણે વધુમાં કહ્યુ કે, હવે સૌથી પહેલા તેનો જવાબ આપવો જોઈએ કારણ કે, કેટલાક લોકો કહે છે કે થપ્પડ ખાધા પછી અમારી બીજો ગાલ ધરવાની રણનીતિ ખુબ જ સારી હતી. મને નથી લાગતું કે દેશનો આ મિજાજ છે, મને નથી લાગતુ કે આ સમજદારી છે. જો કોઈ સરહદ પર આતંદવાદ કરી રહ્યુ હોય તો જવાબ આપવો જ પડશે, તેનાથી છુટકારો મેળવવા માટે હવે પૈસાનો ખર્ચ કરવો પડશે.

આતંકવાદ પર ભારતની મોટી કાર્યવાહી

જયશંકરે કહ્યુ કે, આતંકવાદ સામે લડવા માટે આ ત્રણ મોર્ચે કામ કરવામાં આવી રહ્યુ છે. પહેલી મહત્વપુર્ણ વાત છે કે આપણે એવી ક્ષમતા, માનસિકતા અને ઈચ્છાશક્તિ કેવી રીતે વિકસિત કરીએ. તમે છેલ્લા દશકાથી આ ફેરફાર જોઈ શકો છો. બીજુ આતંકવાદને ગેરકાયદેસર જાહેર કરવો જોઈએ. આ સાથે દુનિયાએ તેના પર એવુ વિચારવુ જોઈએ કે આ ભારત અને પાકિસ્તાનનો જુનો વિવાદ ચાલી રહ્યો છે. ત્રીજુ તેમણે કહ્યુ કે, 2030 માં શું થશે? તેના બે જવાબ છે, આતંકવાદને સતત ગેરલાયક જાહેર કરવો જોઈએ. એ દેશોની સ્થિતિ બતાવવી જોઈએ જે દેશો આતંકવાદને પોષે છે, તેને પનાહ આપે છે, અને તેમને કેવુ નુકસાન સહન કરવુ પડે છે. જેમ પાડોશી દેશમા થઈ રહ્યુ છે. 

adv

Related News

post
post
post
post
post
post
post