પાકે. મુસ્લિમ દેશોની બેઠકમાં કાશ્મીર રાગ આલાપ્યો
ઇસ્લામાબાદ
: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન હાલ વડાપ્રધાનની ખુરશી બચાવવા માટે હવાતિયા
મારી રહ્યા છે. તેમની સામેના વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ૨૫મીએ મતદાન થવાનું છે
આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાં મુસ્લિમ દેશોના સંગઠન ઓઆઇસીની એક બેઠક મળી હતી. જેમાં
ઇમરાને ભારત વિરુદ્ધ નિવેદન આપી કાશ્મીર રાગ આલાપ્યો હતો.
ઇમરાન ખાને કહ્યું હતું
કે આપણે દોઢ અબજ મુસ્લિમ છીએ પણ કાશ્મીર અને ફિલિપાઇન્સ મુદ્દાનું નિરાકરણ કરવામાં
નિષ્ફળ રહ્યા છીએ. આપણુ કાશ્મીર પર કોઇ જ પ્રભાવ નથી, તેઓ આપણને ગંભીરતાથી નથી
લઇ રહ્યા. કાશ્મીરી લોકોને આત્મનિર્ણયનો અધિકાર નથી આપવામાં આવ્યો. તેમણે દાવો
કર્યો હતો કે ભારતે ગેરકાયદે કાશ્મીરના વિશેષ દરજ્જાને જ ખતમ કરી દીધો છે.
બાદમાં ઇમરાન ખાને અરબના
મુસ્લિમોને ભારત સામે એક થવા માટે ભડકાવ્યા હતા. જે સમ્મેલનમાં ઇમરાન ખાને આ
નિવેદન આપ્યું હતું તેમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી પણ હાજર રહ્યા હતા. ઇમરાન
ખાને કહ્યું હતું કે આપણે ભારતની સામે કાશ્મીર મુદ્દે એક સંયુક્ત મોરચો ઉભો કરવાની
જરુર છે. નહીં તો આ અત્યાચાર કાશ્મીર અને ફિલિપાઇન્સના થતા રહેશે. જ્યારે
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મદમૂદ કુરૈશીએ ફિલિપાઇન્સની સરખામણી કાશ્મીર સાથે
કરી દીધી હતી અને દાવો કર્યો હતો કે કાશ્મીરના લોકોને ફિલિપાઇન્સની જેમ જ
આત્મનિર્ણયનો અધિકાર નથી આપવામાં આવ્યો.